Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગોરાઈમાં પોઇસર નદી પરનો ૩૦ વર્ષ જૂનો બ્રિજ તોડી પડાશે

ગોરાઈમાં પોઇસર નદી પરનો ૩૦ વર્ષ જૂનો બ્રિજ તોડી પડાશે

Published : 11 October, 2025 01:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોલીવાડાના બે વિસ્તારોને જોડતો એકમાત્ર બ્રિજ તોડી પાડવાના નિર્ણય સામે સ્થાનિકોનો વિરોધ, નવો બ્રિજ બને ત્યાં સુધી કોઈ વૈકલ્પિક માર્ગ કરી આપવાની માગણી

૩૦ વર્ષ જૂનો બ્રિજ

૩૦ વર્ષ જૂનો બ્રિજ


ગોરાઈમાં પોઇસર નદી પરના બ્રિજને તોડીને નવો બ્રિજ બનાવવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ)ની મંજૂરી મળી ગઈ છે. હાલનો ૧૦૦ મીટર લાંબો પુલ લોઅર અને અપર કોલીવાડા વિસ્તારો વચ્ચેનો એકમાત્ર સીધો રસ્તો છે એટલે આ બ્રિજને તોડી પાડવાના નિર્ણયનો સ્થાનિક રહેવાસીઓએ વિરોધ કર્યો છે.

સ્થાનિક રહેવાસીઓએ દલીલ કરી છે કે ઊંચી ભરતીને લીધે કોલીવાડા વિસ્તાર ટાપુ જેવો બની જાય છે, જેને કારણે ૭૦૦ મીટર ફરીને કોલીવાડામાં જવું પડે છે. પુલ તોડી પાડવામાં આવે અને નવો પુલ તૈયાર થાય એ દરમ્યાન કોલીવાડાને મુખ્ય રોડ સાથે કેવી રીતે જોડવું એ બાબતે BMC તરફથી હજી કોઈ સ્પષ્ટતા મળી નથી એવું સ્થાનિકોનું કહેવું છે.


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2025 01:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK