Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરે હિન્દુ છે, તેમણે કુંભમેળામાં સ્નાન કેમ ન કર્યું?

રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરે હિન્દુ છે, તેમણે કુંભમેળામાં સ્નાન કેમ ન કર્યું?

Published : 28 February, 2025 08:51 AM | Modified : 01 March, 2025 07:24 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો સવાલ

એકનાથ શિંદે

એકનાથ શિંદે


મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના અધ્યક્ષ એકનાથ શિંદેએ સોમવારે પ્રયાગરાજ જઈને મહાકુંભમાં સ્નાન કર્યું હતું. ઉદ્ધવસેનાના મુખપત્ર ‘સામના’માં ટીકા કરવામાં આવી હતી એનો જવાબ એકનાથ શિંદેએ કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અને ઉદ્ધવ ઠાકરે પર નિશાન તાકીને ગઈ કાલે આપ્યો હતો. એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરે પોતાને હિન્દુ ગણાવે છે. જો તેઓ હિન્દુ હોય તો કુંભમેળામાં સ્નાન કરવા કેમ ન ગયા? આ લોકોના બોલવામાં અને વર્તન કરવામાં ફરક છે. કુંભમેળામાં ૬૭ કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું. ત્રિવેણી સંગમમાં ડૂબકી મારીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી. તો રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરેએ કુંભમેળામાં જવાનું કેમ પસંદ ન કર્યું?’


કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે પણ ઉદ્ધવ ઠાકરે અને રાહુલ ગાંધીની ટીકા કરતાં કહ્યું હતું કે ‘વીર સાવરકરનો વિરોધ કરનારા રાહુલ ગાંધીને ઉદ્ધવ ઠાકરે સાથ આપી રહ્યા છે. તેઓ રાજકારણની દિશા ભટકી ગયેલા નેતાઓ છે.’



જોકે કૉન્ગ્રેસના ઉત્તર પ્રદેશના પ્રદેશાધ્યક્ષ અજય રાયે કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ પરિવાર અને ગાંધી પરિવાર વતી મેં કુંભમેળામાં જઈને પવિત્ર સ્નાન કર્યું હતું. દેશના હિત માટેની પ્રાર્થના પણ કરી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

01 March, 2025 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK