જૈન જાગૃતિ સેન્ટર-સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટમાં ઉપરોક્ત ૬ ટ્રસ્ટી તથા અન્ય પાંચ ટ્રસ્ટીઓ ડીડ પ્રમાણે જાહેર કરવામાં આવ્યા હતા
પ્રતીકાત્મક તસવીર
જૈન જાગૃતિ સેન્ટર-સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટની વર્ષ ૨૦૨૪થી ૨૦૨૬ની દ્વિવાર્ષિક ચૂંટણીની જાહેરાત ૧૧-૪-૨૦૨૪ના રોજ કરવામાં આવી હતી. ચૂંટણીનાં કાર્યો જેમ કે ફૉર્મ આપવાનાં, ફૉર્મ ભરીને સ્વીકારવાનાં, ફૉર્મ વિધડ્રૉઅલ, સ્ક્રૂટિની અને ઉમેદવારોનાં નામની જાહેરાત એ સર્વે કાર્યવાહીનું કાર્ય ચૂંટણી-કમિશનરો કિશોર એસ. શેઠ અને ઉદય ડી. સંઘવીએ ચૂંટણીના નિયમોને આધીન સંપૂર્ણ કર્યું હતું.
ચૂંટણી-કમિશનરોએ જેજેસી સેન્ટ્રલ બોર્ડની કૅબિનેટ અને કાઉન્સિલ મીટિંગમાં ચૂંટણીનાં પરિણામોની જાહેરાત કરી હતી. ચૂંટણી માટે ૬ ટ્રસ્ટીશિપ માટે ફૉર્મ આવ્યાં હતાં અને સર્વસંમતિથી બિન-વિરોધ ૬ ટ્રસ્ટીને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા ઃ (૧) હોલ્ડિંગ ટ્રસ્ટી - રમેશ જે. મોરબિયા (૨) એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી - દિનેશ વી. શાહ (૩) એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી - કિરણ એચ. શાહ (૪) એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી - જયંતીલાલ કે. છાડવા (૫) એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી - રાજેશ એમ. શાહ (૬) એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી - નરેશ પી. દોશી
ઉપરોક્ત ૬ ટ્રસ્ટીઓને જેજેસી સેન્ટ્રલ બોર્ડની મીટિંગોમાં તાળીઓના ગડગડાટથી ૩૧-૩-૨૦૨૬ સુધીના જૈન જાગૃતિ સેન્ટર-સેન્ટ્રલ બોર્ડ ચૅરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
જૈન જાગૃતિ સેન્ટર-સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટમાં ઉપરોક્ત ૬ ટ્રસ્ટી તથા અન્ય પાંચ ટ્રસ્ટીઓ ડીડ પ્રમાણે જાહેર કરવામાં આવ્યા હતા ઃ (૧) હોલ્ડિંગ ટ્રસ્ટી - કિશોર એસ. શેઠ (૨) હોલ્ડિંગ ટ્રસ્ટી - ઉદય ડી. સંઘવી (૩) કાયમી ટ્રસ્ટી - હર્ષદ જે. ગાંધી (૪) કાયમી ટ્રસ્ટી - જિતેન્દ્ર એસ. કોઠારી (૫) કાયમી ટ્રસ્ટી - સંજય બી. શાહ
કુલ ૧૧ ટ્રસ્ટીની નિમણૂક/ચૂંટણીની જાહેરાતને સર્વસંમતિથી સ્વીકારવામાં આવી હતી અને ટ્રસ્ટ ડીટ પ્રમાણેની આગામી કાર્યવાહી કરવા માટે અને ટ્રસ્ટના ઉદ્દેશોને સુસંગત રાખીને ટ્રસ્ટનું કાર્ય કરે એવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.