બૉમ્બે હાઈ કોર્ટે જ્વેલરી બ્રાન્ડ મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ લિમિટેડને તેના યુકે ખાતેના શોરૂમને પ્રમોટ કરવા માટે પાકિસ્તાની મૂળની, લંડન સ્થિત ઇન્ફલુએન્સરની નિમણૂક કરવા બદલ ટ્રોલ કરતી સોશિયલ મીડિયા પોસ્ટ્સ હટાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
બૉમ્બે હાઈ કોર્ટે જ્વેલરી બ્રાન્ડ મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ લિમિટેડને તેના યુકે ખાતેના શોરૂમને પ્રમોટ કરવા માટે પાકિસ્તાની મૂળની, લંડન સ્થિત ઇન્ફલુએન્સરની નિમણૂક કરવા બદલ ટ્રોલ કરતી સોશિયલ મીડિયા પોસ્ટ્સ હટાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
કોર્ટે વચગાળાનો મનાઈ હુકમ આપ્યો
ADVERTISEMENT
જસ્ટિસ સંદીપ માર્નેની બૅન્ચે સોમવારે જાહેર કરેલા એક આદેશમાં નોંધ્યું હતું કે વચગાળાનો મનાઈ હુકમ આપવા માટે કેસ કરવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સને પણ કાઢી નાખવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ઇન્ફલુએન્સરની નિમણૂક અંગે કંપની વિરુદ્ધ વધુ કોઈપણ બદનક્ષીભર્યા કન્ટેન્ટ પોસ્ટ કરવા પર રોક લગાડવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
બ્રાન્ડે બદનક્ષીભર્યા કન્ટેન્ટ અંગે હાઈકોર્ટમાં અરજી કરી હતી
મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ લિમિટેડે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ગુગલ જેવા પ્લેટફોર્મ પર અપલોડ કરાયેલી ઘણી પોસ્ટ્સ, સામગ્રી અને વાર્તાઓ સામે હાઈ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે રેન્ડમ લોકો તેમની કંપનીને પાકિસ્તાન સાથે જોડી રહ્યા છે. અરજી અનુસાર, આ પોસ્ટ્સ મલબાર ગોલ્ડને ‘પાકિસ્તાન માટે સહાનુભૂતિશીલ’ તરીકે બતાવવામાં આવતું હતું અને ખાસ કરીને આ બધી બાબતો તહેવારો દરમિયાન તેમના વેચાણને નુકસાન પહોંચાડી રહી છે. બ્રાન્ડે આવી પોસ્ટ ધરાવતા 442 લિન્ક્સની યાદી રજૂ કરી હતી અને વધુ પોસ્ટ્સ સામે મનાઈ હુકમ માગ્યો હતો, તેમજ હાલની બધી જ પોસ્ટ કાઢી નાખવાની માગ કરી હતી.
ઇન્ફલુએન્સરની વિવાદ પહેલા જ જોડાઈ હતી
અરજીમાં જણાવાયું હતું કે કંપનીએ બર્મિંગહામ, યુકેમાં એક નવો શોરૂમ ખોલવાની યોજના બનાવી હતી અને પ્રમોશન માટે ઈન્ફ્લુએન્સર્સને તેમાં સામેલ કરવા માટે JAB સ્ટુડિયો સાથે વાતચીત કરી હતી. JAB સ્ટુડિયો દ્વારા જેમનું નામ આપવામાં આવ્યું હતું તેમાં એક ઈન્ફ્લુએન્સર અલીશ્બા ખાલિદ પણ હતી, જે યુકેમાં રહેતી પાકિસ્તાની ઈન્ફ્લુએન્સર પ્રભાવક હતી. ખાલિદે આ વર્ષની શરૂઆતમાં પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ ભારતના ઑપરેશન સિંદૂરની જાહેરમાં ટીકા કરી હતી.
માલાબાર ગોલ્ડે તેની અરજીમાં સ્પષ્ટતા કરી હતી કે ખાલિદ એપ્રિલમાં પહલગામ ઘટનાના ઘણા સમય પહેલા શોરૂમનો પ્રચાર કરવા માટે તેની સાથે વાત કરવામાં આવી હતી. કંપની તેના પાકિસ્તાની મૂળથી અજાણ હતી, અને ત્યારબાદ તેની જાણ થતાં તેની સાથેનો કૉન્ટ્રેક્ટ રદ કરી દેવામાં આવ્યો છે. બ્રાન્ડે ભારપૂર્વક જણાવ્યું હતું કે એક સમયે યુકે સ્થિત સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સરની સંડોવણી ઓનલાઈન પોસ્ટ કરવામાં આવતી ટ્રોલિંગ પોસ્ટને યોગ્ય ઠેરવી શકતી નથી, જેથી તેને વહેલી તકે હટાવવામાં આવે.


