Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કબૂતરખાના માટે તળ મુંબઈમાં જગ્યા નથી, પરાવિસ્તારોમાં ૧૩ જગ્યા શૉર્ટલિસ્ટ કરી BMCએ

કબૂતરખાના માટે તળ મુંબઈમાં જગ્યા નથી, પરાવિસ્તારોમાં ૧૩ જગ્યા શૉર્ટલિસ્ટ કરી BMCએ

Published : 26 September, 2025 07:23 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સ્થળોનું લિસ્ટ મંજૂરી માટે બૉમ્બે હાઈ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે એમ BMCના એક અધિકારી જણાવ્યું હતું.

કબૂતરખાના

કબૂતરખાના


મુંબઈમાં રહેણાક વિસ્તારોમાં કબૂતરખાનાં બંધ કરવાના બૉમ્બે હાઈ કોર્ટના આદેશ બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ કબૂતરખાના માટે નવી જગ્યાઓ શોધવાનું શરૂ કર્યું હતું. BMCએ અત્યાર સુધીમાં એવાં ૧૩ સ્થળો શૉર્ટલિસ્ટ કર્યાં છે જ્યાં કબૂતરખાનાં ઊભાં કરી શકાય. આ સ્થળોનું લિસ્ટ મંજૂરી માટે બૉમ્બે હાઈ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે એમ BMCના એક અધિકારી જણાવ્યું હતું.

મુંબઈના શહેર વિસ્તારમાં પૂરતી જગ્યા ન મળતાં પરાવિસ્તારોમાં નવા કબૂતરખાના માટેનાં સ્થળો પસંદ કરવામાં આવ્યાં છે. એમાંથી મોટા ભાગનાં સ્થળો ઈસ્ટનાં પરાંમાં છે.



BMCના ૨૫ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનરને કબૂતરખાનાં માટે યોગ્ય જગ્યા શોધવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. એમાં A, B, C, D, E, G-સાઉથ, G-નૉર્થ, F-નૉર્થ, F-સાઉથ તેમ જ H-ઈસ્ટ, P-ઈસ્ટ, K-ઈસ્ટ અને P-સાઉથ વૉર્ડમાં જગ્યા ખાલી ન હોવાનું અધિકારીઓએ તેમના રિપોર્ટમાં જણાવ્યું હતું. તેથી પરાવિસ્તારનાં ૧૩ સ્થળોને કબૂતરખાના માટે શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

26 September, 2025 07:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK