Paper Plates of Medical Reports: પૂર્વ મેયર કિશોરી પેડનેકર અને મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના નેતા સંદીપ દેશપાંડેએ આ અંગે ખુલાસો કર્યો છે.
કિશોરી પેડનેકરે શૅર કરેલા વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
મુંબઈમાંથી ફરી એક મોટી ચોંકાવનારી ઘટનાનો ખુલાસો થયો છે. આ ઘટનામાં પણ લોકોના જીવ સાથે રમત કરવામાં આવી રહી હોવાની ઘટના બની છે. હાલમાં દર્દીઓના મેડિકલ રિપોર્ટના (Paper Plates of Medical Reports) કાગળિયામાંથી બનાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ કાગળની પ્લેટ્સ લોકોને નાસ્તો સહિતના અન્ય ખાદ્યપદાર્થો પીરસવા માટે વાપરવામાં આવી રહી છે. આ મામલે હવે મોટો હોબાળો મચ્યો છે. મુંબઈના પૂર્વ મેયર કિશોરી પેડનેકરે આ બાબતે સોશિયલ મીડિયા પર આરોપ લગાવતા કહ્યું કે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) પ્રશાસન દર્દીઓના જીવ સાથે રમત રમી રહી છે. આ મામલે વિરોધી પક્ષના નેતાઓએ તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો છે અને સંબંધિત અધિકારીની પાલિકામાંથી હકાલપટ્ટી કરવાની માગણી કરી છે.
મ્યુનિસિપલ હૉસ્પિટલમાં (Paper Plates of Medical Reports) વિવિધ રોગોના દર્દીઓ આવે છે. તેમની રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. આ રિપોર્ટમાં તેમની બીમારીની માહિતી આપવામાં આવી છે. જો કે, હૉસ્પિટલના આ રિપોર્ટમાંથી ખાણીપીણી માટે પ્લેટો બનાવવામાં આવી રહ્યું હોવાથી રાજકારણ ગરમાયું છે. પૂર્વ મેયર કિશોરી પેડનેકર અને મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (MNS) ના નેતા સંદીપ દેશપાંડેએ આ અંગે ખુલાસો કર્યો છે. કિશોરી પેડનેકરે ટ્વિટ કરીને આ રિપોર્ટની પ્લેટનો વીડિયો શૅર કર્યો છે. તેમણે લખ્યું આ શું ચાલી રહ્યું છે? પ્રશાસન જાગો…! આટલું અંધાધૂંધ કામ ન કરવાની અપીલ પણ કિશોરી પેડનેકરે કરી છે.
ADVERTISEMENT
View this post on Instagram
હૉસ્પિટલમાં જતાં દર્દીઓના રિપોર્ટ ગોપનીય (Paper Plates of Medical Reports) હોય છે, પરંતુ તેની પેપર પ્લેટ પ્રિન્ટ કરવામાં આવી છે. જે મામલે હવે અનેક સવાલ ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે. આ ઘટના બાદ કિશોરી પેડનેકર અને શ્રદ્ધા જાધવ કેઇએમ હૉસ્પિટલ પહોંચ્યા હતા. આ સમયે તેમણે હૉસ્પિટલ પ્રશાસન સાથે ચર્ચા કરી હતી. તેમની સાથે ધારાસભ્ય અજય ચૌધરી પણ હાજર હતા. આ સમયે તેમણે પ્રશાસનને આ બાબતે પૂછ્યું હતું. તેમણે કહ્યું જે લોકોને ઓફિસની ખબર નથી, કોઈ જવાબદારી નથી, તેમને ઘરે રાખવા જોઈએ. મ્યુનિસિપલ કોર્પોરેશનની હાલાકી કરશો નહીં. કિશોરી પેડનેકરે ચેતવણી આપી હતી કે મુંબઈમાં અરેરાટી સહન કરવામાં આવશે નહીં.
જ્યારથી મ્યુનિસિપલ ઓફિસર સુધાકર શિંદે (Paper Plates of Medical Reports) આવ્યા ત્યારથી મુંબઈને વાટ લાગી ગઈ છે. પહેલા તેમને હટાવો. તેમની ઉંમર વીતી ગઈ છે. તેમને વારંવાર એક્સટેન્શન પણ આપવામાં આવી રહ્યું છે. તેમની પાછળ કોણ છે? તેઓ કોઈના આશ્રય હેઠળ બેઠા છે, એવું કહીં પેડનેકરે સુધાકર શિંદેની હકાલપટ્ટી કરવાની માગણી કરી હતી. મનસે નેતા સંદીપ દેશપાંડેએ (Paper Plates of Medical Reports) પણ આ મામલે ટીકા કરી છે. તેમણે કહ્યું કે “આ રિપોર્ટ્સ ગોપનીય છે. કેટલાક અધિકારીએ સમગ્ર રિપોર્ટ્સને કચરા તરીકે વેચી દીધી છે. તેઓ ફક્ત સંબંધીઓને જ આપવા જોઈએ. શું મ્યુનિસિપલ કોર્પોરેશન આ અહેવાલને જંક તરીકે વેચવા માટે ભીખ માંગે છે? આ ખોટો પ્રકાર છે. આ મામલે ની તપાસ થવી જોઈએ. અમે હૉસ્પિટલ અને કમિશનરને પત્ર લખવાના છીએ.

