Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેમાં આજે ૨૪ કલાક પાણીકાપ, મીરા-ભાઈંદરમાં ૨૦ ટકા પાણીકાપનો નિર્ણય

થાણેમાં આજે ૨૪ કલાક પાણીકાપ, મીરા-ભાઈંદરમાં ૨૦ ટકા પાણીકાપનો નિર્ણય

Published : 18 June, 2026 12:36 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાણીની સપ્લાય ચાલુ કર્યા પછી પણ ૪૮ કલાક સુધી પ્રેશર ઓછું રહેશે. દીવા, કલવા, મુંબ્રા, માનપાડા વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહેશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મૉન્સૂન લંબાઈ ગયું છે ત્યારે પાણીની ખેંચ પડવાની શક્યતા જોતાં થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)એ થાણે સહિત દિવા, કલવા અને મુંબ્રાના મોટા ભાગના વિસ્તારોમાં આજે ૧૮ જૂને બપોરે ૧૨ વાગ્યાથી ૧૯ જૂને બપોરે ૧૨ વાગ્યા સુધી ૨૪ કલાક પાણીપુરવઠો બંધ રાખવાની જાહેરાત કરી છે. રહેવાસીઓને પાણીનો સંગ્રહ કરવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે પાણીની સપ્લાય ચાલુ કર્યા પછી પણ ૪૮ કલાક સુધી પ્રેશર ઓછું રહેશે. દીવા, કલવા, મુંબ્રા, માનપાડા વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહેશે.

મીરા-ભાઈંદરમાં ૨૦ ટકા પાણીકાપ, પખવાડિયે એક વાર પાણી સાવ બંધ રહેશે



ચોમાસું પાછું ઠેલાવાને કારણે તેમ જ પાણીપુરવઠો પૂરો પાડતાં જળાશયોમાં પાણીના ઓછા સ્તરને જોઈને મીરા-ભાઈંદરમાં ૨૦ ટકા પાણીકાપ મૂકવાનો નિર્ણય મ્યુનિસિપલ કૉર્પોરેશને લીધો છે. આ ઉપરાંત ૧૫ દિવસે પાણી સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય પણ ૯ જૂને લેવાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. એક તો પહેલેથી જ મીરા-ભાઈંદરના રહેવાસીઓ પાણી માટે ટૅન્કરના ભરોસે છે ત્યારે હવે પાણીકાપને કારણે લોકોએ વધુ સમસ્યાનો સામનો કરવો પડશે.


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2026 12:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK