Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સાળંગપુર હનુમાનજી મંદિરમાં ગઈ કાલે અર્ધનારીશ્વર નૃત્ય થીમ પર થયો શણગાર

સાળંગપુર હનુમાનજી મંદિરમાં ગઈ કાલે અર્ધનારીશ્વર નૃત્ય થીમ પર થયો શણગાર

Published : 29 July, 2025 10:13 AM | IST | Bhavnagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તજનોને પહેલી નજરે દૂરથી મોટું શિવલિંગ નજરે પડતું હતું. દાદાના દરબારમાં ત્રિશૂળ અને ડમરુને પણ સ્થાન અપાયું હતું

સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાન મંદિર

સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાન મંદિર


પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે ગઈ કાલે પહેલા સોમવારે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાન મંદિરમાં શિવાલયનો ઓપ અપાયો હતો તેમ જ હનુમાનદાદાના સિંહાસને અર્ધનારીશ્વરના નૃત્યની થીમ પર શણગાર કરવામાં આવ્યો હતો. હનુમાનજીને પ્યૉર સિલ્કના શિવલિંગની થીમવાળા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તજનોને પહેલી નજરે દૂરથી મોટું શિવલિંગ નજરે પડતું હતું. દાદાના દરબારમાં ત્રિશૂળ અને ડમરુને પણ સ્થાન અપાયું હતું. આ અનોખાં દર્શનથી ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2025 10:13 AM IST | Bhavnagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK