Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > શ્રાવણના શુભારંભે ગુજરાત બન્યું શિવમય

શ્રાવણના શુભારંભે ગુજરાત બન્યું શિવમય

Published : 26 July, 2025 01:10 PM | IST | Junagadh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોમનાથ મહાદેવને વિશેષ ઓમકાર દર્શન શ્રૃંગાર, સાળંગપુરમાં હનુમાનદાદાને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘાનો શણગાર

સોમનાથ મંદિર, ગઈ કાલે સુરતના શ્રી કંથેરિયા હનુમાન ધામમાં બનાવેલા શિવલિંગની પૂજા કરતા લોકો.

સોમનાથ મંદિર, ગઈ કાલે સુરતના શ્રી કંથેરિયા હનુમાન ધામમાં બનાવેલા શિવલિંગની પૂજા કરતા લોકો.


શ્રાવણના શુભારંભે ગુજરાત શિવમય બન્યું હતું. ગઈ કાલે સોમનાથ, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતનાં શહેરો અને ગામોમાં હર-હર શંભુના નાદ શિવાલયોમાં ગુંજ્યા હતા. વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં વહેલી પરોઢથી ધાર્મિકજનો ભગવાન સોમનાથદાદાના દર્શને ઊમટ્યા હતા. સોમનાથ મહાદેવને શ્રાવણ માસના પ્રથમ દિને ઓમકાર દર્શન શ્રૃંગારથી અલંકૃત કરાયા હતા.



સાળંગપુરના હનુમાનદાદા


ચંદન, ભસ્મ અને પુષ્પોથી મહાદેવનાં ઓમકાર સ્વરૂપ દર્શન ભક્તોને કરાવવામાં આવ્યાં હતાં. બીજી તરફ યાત્રાધામ સાળંગપુરમાં આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં હનુમાનદાદાને શિવજીની પ્રતિકૃતિવાળા રુદ્રાક્ષ-ડમરુવાળા વાઘા પહેરાવ્યા હતા અને સિંહાસનને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

26 July, 2025 01:10 PM IST | Junagadh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK