Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આજે રામનવમીએ અમદાવાદમાં યોજાશે શોભાયાત્રા

આજે રામનવમીએ અમદાવાદમાં યોજાશે શોભાયાત્રા

17 April, 2024 07:24 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાત કિલોમીટરની શોભાયાત્રામાં હાથી, ઘોડા, અખાડા, ભજનમંડળીઓ સાથે ધાર્મિકજનો જોડાશે

ભગવાન રામની ફાઇલ તસવીર

ભગવાન રામની ફાઇલ તસવીર


આજે રામનવમીના મંગલ અવસરે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અમદાવાદમાં પ્રભુ શ્રીરામની શોભાયાત્રા હર્ષોલ્લાસ અને આધ્યાત્મિક્તાના માહોલ વચ્ચે યોજાશે.

અમદાવાદના પ્રેમ દરવાજા વિસ્તારમાં આવેલા સરયુ મંદિરેથી પ્રભુ શ્રીરામની શોભાયાત્રા યોજાશે. સાત કિલોમીટરની આ શોભાયાત્રા સરયુ મંદિરથી દરિયાપુર દરવાજા થઈને વાડીગામ, ઘીકાંટા, શાહપુર ચાર રસ્તા થઈને લાલાકાકા હૉલ, માધુપુરા ખાતે પૂર્ણ થશે. શોભાયાત્રામાં હાથી, ઘોડા, ઊંટ, ટ્રૅક્ટર ઉપરાંત ૨૦ ભજનમંડળીઓ, ૧૦ અખાડા અને સાંસ્કૃતિક નૃત્યમંડળીઓ પણ સામેલ થશે. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ધાર્મિકજનો જોડાશે. 


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2024 07:24 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK