Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > માનહાનિ મામલે ગુજરાત કૉર્ટે કેજરીવાલ અને સંજય સિંહ વિરુદ્ધ જાહેર કર્યા સમન

માનહાનિ મામલે ગુજરાત કૉર્ટે કેજરીવાલ અને સંજય સિંહ વિરુદ્ધ જાહેર કર્યા સમન

23 May, 2023 08:26 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગુજરાત વિશ્વવિદ્યાલયના વકીલે મંગળવારે નવા ન્યાયાધીશ એસ જે પાંચાલને કેસની માહિતી આપી અને કહ્યું કે તેમના પૂર્વવર્તીએ આરોપીઓને 23 મેના રોજ કૉર્ટમાં હાજર થવા માટે 15 એપ્રિલના રોજ નૉટિસ જાહેર કરી હતી.

અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)

અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)


ગુજરાત વિશ્વવિદ્યાલયના વકીલે મંગળવારે નવા ન્યાયાધીશ એસ જે પાંચાલને કેસની માહિતી આપી અને કહ્યું કે તેમના પૂર્વવર્તીએ આરોપીઓને 23 મેના રોજ કૉર્ટમાં હાજર થવા માટે 15 એપ્રિલના રોજ નૉટિસ જાહેર કરી હતી. કારણકે કોઈપણ કૉર્ટમાં હાજર નથી તો એ સ્પષ્ટ નથી કે તેમને સમન મળ્યા કે નહીં.

ગુજરાતમાં અમદાવાદની એક કૉર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એકેડેમિક ડિગ્રીને લઈને ગુજરાત વિશ્વવિદ્યાલય દ્વારા દાખલ અપરાધિક માનહાનિના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સભ્ય સંજય સિંહ વિરુદ્ધ સમન જાહેર કર્યા. આમાં બન્નેને સાત જૂને હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.



કૉર્ટે જણાવ્યું કે એવું લાગે છે કે બન્નેને 23મેના રોજ રજૂ થવા માટે પહેલા જાહેર કરવામાં આવેલા સમન્સ તેમને મળ્યા નથી. કારણકે તેમનામાંથી કોઈપણ કૉર્ટમાં હાજર નથી. વધારાના મુખ્ય મેટ્રોપૉલિટન મેજિસ્ટ્રેટ એસ જે પાંચાલે કેજરીવાલ અને સંજય સિંહને સમન જાહેર કર્યા છે.


જણાવવાનું કે વધારાના મુખ્ય મેટ્રોપૉલિટન મેજિસ્ટ્રેટ જયેશ ચોવાટિયાની કૉર્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રીને લઈને ગુજરાત વિશ્વવિદ્યાલય વિરુદ્ધ તેમના `વ્યંગ્યાત્મક` અને `અપમાનજનક` નિવેદનો માટે એક અપરાધિક માનહાનિ ફરિયાદમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓને સમન જાહેર કર્યા હતા.

આમ આદમી પાર્ટીના ગુજરાત એકમના કાયદાકીય પ્રકોષ્ઠના પ્રમુખ પ્રણવ ઠક્કરે સોમવારે કહ્યું હતું કે કેજરીવાલ અને સિંહને કૉર્ટ દ્વારા જાહેર સમન હજી સુધી મળ્યા નથી.


ગુજરાત વિશ્વવિદ્યાલયના વકીલે મંગળવારે નવા ન્યાયાધીશ એસ જે પાંચાલને કેસની માહિતી આપી અને કહ્યું કે તેમના પૂર્વવર્તીએ આરોપીઓને 23 મેના રોજ કૉર્ટમાં હાજર થવા માટે 15 એપ્રિલના રોજ નોટિસ જાહેર કરી હતી. કારણકે કોઈપણ કૉર્ટમાં હાજર નથી તો એ સ્પષ્ટ નથી થયું કે તેમને સમન મળ્યા છે કે નહીં.

આ પણ વાંચો : વિધાનસભા ચૂંટણી પહેલા 31 તારીખે ફરી રાજસ્થાન જશે પીએમ મોદી, શું છે અજમેર અજેંડા?

આ મામલે ન્યાયાધીશે સ્ટાફના સભ્યને એ જોવા કહ્યું અને પછી તેમણે કેજરીવાલ તેમજ સંજય સિંહને સમન જાહેર કરવાના નિર્દેશ આપ્યા.

Whatsapp-channel Whatsapp-channel

23 May, 2023 08:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK