Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ચૈતર વસાવા જેલમાંથી ચૂંટણી લડશે : કેજરીવાલ

ચૈતર વસાવા જેલમાંથી ચૂંટણી લડશે : કેજરીવાલ

Published : 09 January, 2024 08:40 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેજરીવાલે હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતાં જણાવ્યું કે ‘હું ચૈતરભાઈ વસાવાને મળવા ગુજરાત આવ્યો છું.

અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ


અમદાવાદ : આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે ભરૂચના નેત્રંગમાં જનસભાને સંબોધતાં અરવિંદ કેજરીવાલે લોકસભાની ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું છે કે ચૈતર વસાવા ભરૂચ બેઠક પરથી આગામી લોકસભાની ચૂંટણી લડશે.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે ‘ભરૂચ લોકસભા માટે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. જો ષડ્યંત્ર રચીને ચૈતર વસાવાને જેલમાંથી બહાર ન આવવા દીધા તો તેઓ જેલમાંથી લોકસભાની ચૂંટણી લડશે.’


કેજરીવાલે હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતાં જણાવ્યું કે ‘હું ચૈતરભાઈ વસાવાને મળવા ગુજરાત આવ્યો છું. આવતી કાલે તેમને મળવા રાજપીપળા જેલમાં જવાનો છું. ચૈતરભાઈ મારા નાના ભાઈ જેવો છે. મને આજે એ વાતનું સૌથી વધુ દુઃખ લાગી રહ્યું છે કે આજે ચૈતર વસાવાનાં પત્ની પણ જેલમાં છે. આ લોકોએ સમાજનાં વહુને પણ જેલમાં મોકલ્યાં છે અને એ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે. શું આદિવાસી સમાજ આ અપમાનનો બદલો લેશે ને નહીં?’


Whatsapp-channel Whatsapp-channel

09 January, 2024 08:40 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK