ફિલ્મ લેખક,ગીતકાર સંજય છેલની કળા હવે કેનવાસ પર પણ, અમદાવાદમાં પ્રદર્શન
પેન્ટિંગ
અમદાવાદની વિખ્યાત ‘ગુફા’ આર્ટ ગૅલરીમાં ‘મૂર્ત-અમૂર્ત’ના શીર્ષક હેઠળ જાણીતા ફિલ્મ નિર્દેશક-લેખક અને કૉલમિસ્ટ સંજય છેલનાં અદ્ભુત ચિત્રોનું પ્રદર્શન યોજાશે. સંજય છેલનાં ઍબ્સ્ટ્રૅક્ટ (અમૂર્ત) ચિત્રો અને શિલ્પકાર ચિંતન સોમપુરાનાં શિલ્પ એટલે કે મૂર્ત કળા સાથે મળીને ચિત્ર અને શિલ્પની જુગલબંદી કરશે. ૧૮ ફેબ્રુઆરી, સાંજે સાડાપાંચ વાગ્યે આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પામેલા પીઢ ચિત્રકાર વૃન્દાવન સોલંકી એનું ઉદ્ઘાટન કરશે. પ્રદર્શનનું સ્થળ છે અમદાવાદની ગુફા, યુનિવર્સિટી રોડ, અમદાવાદ