સુરતના આશરે ૧૧ લાખથી વધુ મતદારો નવસારી અને બારડોલી લોકસભા બેઠક માટે મતદાન કરી શકશે.
સુરત લોકસભાની બેઠક પર બિનહરીફ વિજેતા બન્યા છે મુકેશ દલાલ.
દક્ષિણ ગુજરાતમાં સુરત લોકસભાની બેઠક બિનહરીફ જાહેર થતાં સુરતવાસીઓ મત આપવાથી વંચિત રહ્યા એવું થયું છે, પણ સુરત શહેરના તમામ મતદારો સાથે આવું થયું નથી. સુરતી લાલાઓને પણ આજે મતદાન કરવાની તક મળશે. સુરતના આશરે ૧૧ લાખથી વધુ મતદારો નવસારી અને બારડોલી લોકસભા બેઠક માટે મતદાન કરી શકશે.
નવસારી લોકસભા બેઠકની અંદર સુરત શહેરની ત્રણ વિધાનસભા લિંબાયત, ઉધના અને મજુરાના મતવિસ્તાર આવે છે એટલે સુરતના આ વિસ્તારમાં રહેતા મતદારોને મત આપવાનો મોકો મળશે. આ ઉપરાંત નવસારી લોકસભા બેઠકનો ચોર્યાસી વિધાનસભાનો કેટલોક ભાગ પણ સુરત શહેરમાં આવે છે એટલે આ વિસ્તારમાં રહેતા સુરતવાસીઓને પણ મતદાન કરવાનો મોકો મળશે. આ ઉપરાંત બારડોલી લોકસભા બેઠક પર કામરેજ વિધાનસભા મતવિસ્તારમાં પૂણા, સીમાડા, સરથાણા, કઠોર, અબ્રામા, વેલંજા અને શેખપુર વિસ્તાર સુરત શહેરમાં આવે છે એટલે આ વિસ્તારના આશરે એક લાખથી વધુ મતદારો મતદાન કરી શકે છે.