Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સુરતની બેઠક બિનહરીફ થઈ ગઈ હોવા છતાં કેટલાક સુરતીઓ આજે કઈ રીતે મતદાન કરી શકવાના છે?

સુરતની બેઠક બિનહરીફ થઈ ગઈ હોવા છતાં કેટલાક સુરતીઓ આજે કઈ રીતે મતદાન કરી શકવાના છે?

07 May, 2024 08:14 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુરતના આશરે ૧૧ લાખથી વધુ મતદારો નવસારી અને બારડોલી લોકસભા બેઠક માટે મતદાન કરી શકશે.

સુરત લોકસભાની બેઠક પર બિનહરીફ વિજેતા બન્યા છે મુકેશ દલાલ.

સુરત લોકસભાની બેઠક પર બિનહરીફ વિજેતા બન્યા છે મુકેશ દલાલ.


દક્ષિણ ગુજરાતમાં સુરત લોકસભાની બેઠક બિનહરીફ જાહેર થતાં સુરતવાસીઓ મત આપવાથી વંચિત રહ્યા એવું થયું છે, પણ સુરત શહેરના તમામ મતદારો સાથે આવું થયું નથી. સુરતી લાલાઓને પણ આજે મતદાન કરવાની તક મળશે. સુરતના આશરે ૧૧ લાખથી વધુ મતદારો નવસારી અને બારડોલી લોકસભા બેઠક માટે મતદાન કરી શકશે.

નવસારી લોકસભા બેઠકની અંદર સુરત શહેરની ત્રણ વિધાનસભા લિંબાયત, ઉધના અને મજુરાના મતવિસ્તાર આવે છે એટલે સુરતના આ વિસ્તારમાં રહેતા મતદારોને મત આપવાનો મોકો મળશે. આ ઉપરાંત નવસારી લોકસભા બેઠકનો ચોર્યાસી વિધાનસભાનો કેટલોક ભાગ પણ સુરત શહેરમાં આવે છે એટલે આ વિસ્તારમાં રહેતા સુરતવાસીઓને પણ મતદાન કરવાનો મોકો મળશે. આ ઉપરાંત બારડોલી લોકસભા બેઠક પર કામરેજ વિધાનસભા મતવિસ્તારમાં પૂણા, સીમાડા, સરથાણા, કઠોર, અબ્રામા, વેલંજા અને શેખપુર વિસ્તાર સુરત શહેરમાં આવે છે એટલે આ વિસ્તારના આશરે એક લાખથી વધુ મતદારો મતદાન કરી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2024 08:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK