Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ભાગેડુ લગ્નોના વિરોધમાં પાટીદાર સમાજે યોજી રૅલી

ભાગેડુ લગ્નોના વિરોધમાં પાટીદાર સમાજે યોજી રૅલી

Published : 06 January, 2026 06:56 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહિલાઓ, વડીલો અને યુવાનો-યુવતીઓ રૅલીમાં જોડાયાં તથા લગ્નનોંધણીના કાયદામાં સુધારો કરવાની માગણી કરી

લગ્નનોંધણીના કાયદામાં સુધારો કરવાની માગણી સાથે અમદાવાદ જિલ્લાના માંડલમાં પાટીદાર સમાજની રૅલી યોજાઈ હતી.

લગ્નનોંધણીના કાયદામાં સુધારો કરવાની માગણી સાથે અમદાવાદ જિલ્લાના માંડલમાં પાટીદાર સમાજની રૅલી યોજાઈ હતી.


ભાગેડુ લગ્નના મુદ્દે ગઈ કાલે અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે પાટીદાર સમાજની જનક્રાન્તિ મહારૅલી યોજાઈ હતી. આ રૅલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ, વડીલો, યુવકો-યુવતીઓ જોડાયાં હતાં અને લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરવા અવાજ બુલંદ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે લગ્નકાયદામાં સુધારાની માગણીની સાથે-સાથે માંડલના મામલતદારને અપાયેલા આવેદનપત્રમાં ગુજરાતી અધિકારીઓ સાથે થતો પૂર્વગ્રહ બંધ થાય એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

સમગ્ર પાટીદાર સમાજ દ્વારા માંડલના રામપુરા ત્રણ રસ્તાથી મામલતદારની ઑફિસ સુધી જનક્રાન્તિ મહારૅલી યોજાઈ હતી. આ રૅલીમાં ઊડીને આંખે વળગે એવી બાબત એ હતી કે મહિલાઓ અને યુવતીઓ રૅલીમાં જોડાવા ઊમટી હતી. કેટલાંક તત્ત્વો દ્વારા સમાજની યુવતીઓને ભોળવી તેમને ભગાવી જઈને પ્રેમલગ્ન કરવા સામે મહિલાઓમાં ભારોભાર રોષ ફેલાયેલો છે. રૅલીમાં 
જોડાયેલાં મહિલાઓ અને પુરુષોની માગણી હતી કે લગ્નનોંધણીના કાયદામાં સુધારો કરવામાં આવે. પાટીદાર સમાજની રૅલી મામલતદારની કચેરીએ પૂરી થઈ હતી અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

06 January, 2026 06:56 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK