યાર કે લિએ સબ કુરબાન હૈ: કન્હૈયાકુમાર
કન્હૈયાકુમાર
કન્હૈયાકુમાર બિહારની બેગુસરાઈ બેઠક પરથી લોકસભા ઇલેક્શન લડે છે ત્યારે તેને સાથ આપવા માટે ગુજરાતના અપક્ષ વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણી અને હમણાં જ કૉંગ્રેસમાં જોડાયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ પોતાના ખર્ચે બેગુસરાઈ જશે અને કન્હૈયાનો પ્રચાર કરશે. હાર્દિક પટેલે કહ્યું હતું કે ‘કન્હૈયા અમારો ભાઈબંધ છે એટલે આટલું તો અમારે કરવાનું જ હોય, પણ હું ઇચ્છું છું કે ગુજરાતમાં સાચી શું પરિસ્થિતિ છે એ પણ ત્યાંના લોકોને ખબર પડે અને નરેન્દ્ર મોદી કે ગ્થ્ભ્ની વાતોમાં તે લોકો ન આવી જાય એ માટે પણ અમારે ત્યાં જવું જોઈએ.’
આ પણ વાંચો : PM મોદીએ આપ્યો ઈન્ટરવ્યૂ- કહ્યું દેશની જનતાએ મન બનાવ્યું છે, ભાજપને મળશે બહુમતિ
ADVERTISEMENT
હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીની સાથે અલ્કેશ ઠાકોર પણ બેગુસરાઈ જાય એવી શક્યતા છે, પણ અલ્કેશે પોતે કૉંગ્રેસ પાસે ટિકિટ માગી હોવાથી તેનું જવાનું હજી નક્કી થયું નથી. હાર્દિક પટેલે કહ્યું હતું કે ‘કન્હૈયા આવતી કાલનું ભારત છે. એ ભારતને આગળ લાવવા માટે સૌકોઈએ સાથે મળીને લડવાનું છે. અમે લડીશું અને અમને ખબર છે કે અમને સાથ મળશે.’