Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આકાશી આફતઃચાર જિલ્લામાંથી 2,649 નાગરિકોનું સ્થળાંતર

આકાશી આફતઃચાર જિલ્લામાંથી 2,649 નાગરિકોનું સ્થળાંતર

03 August, 2019 08:27 PM IST | ગાંધીનગર

આકાશી આફતઃચાર જિલ્લામાંથી 2,649 નાગરિકોનું સ્થળાંતર

આકાશી આફતઃચાર જિલ્લામાંથી 2,649 નાગરિકોનું સ્થળાંતર


રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી આકાશી આફત વરસી રહી છે. વડોદરા, સુરત અને હવે આણંદમાં પણ મેઘરાજા તારાજી સર્જી રહ્યા છે. લાંબા સમયથી વરસાદની રાહ જોવાતી હતી, પરંતુ વરસાદ એવો વરસ્યો કે લોકો હવે ખમૈયા કરવા કહી રહ્યા છે. સુરત, વડોદરા અને રાજકોટમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે. અનેક ઠેકાણે લોકો મુસીબતમાં છે, સેંકડો લોકો પાણી વચ્ચે ફસાયેલા છે. ત્યારે રાજ્ય સરકાર તરફથી મળતા આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં 2,649 નાગરિકોનું સ્થળાંતર કરાયું છે.

રાજ્યમાં ભયંકર વરસાદને પગલે રાજકોટ, વડોદરા, સુરત અને ભરૂચને અસર પહોંચી છે. ત્યારે આ ચાર જિલ્લામાં રાહત અને બચાવકાર્ય પૂર જોશમાં ચાલી રહ્યું છે. NDRF દ્વારા 2,649 જેટલા નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.



આ પણ વાંચોઃ Mumbai Rain:મૂશળધાર વરસાદથી ઠેકઠેકાણે ભરાયા ઘૂંટણસમા પાણી, જુઓ ફોટોઝ


જિલ્લાવાર વાત કરીએ તો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રિપોર્ટ પ્રમાણે ફક્ત શનિવારના દિવસે વલસાડ શહેરમાંથી 987 નાગરિકો, સુરતના ઓલપાડમાંથી 1261 નાગરિકો, આણંદના ખંભાતમાંથી 110 નાગરિકો, ભરૂચ જિલ્લાના અસરમા ગામમાંથી 91 નાગરિકો અને વડોદરા જિલ્લાના મજૂર ગામડી વિસ્તારમાંથી 200 નાગરિકો રેસ્ક્યુ કરાયા છે. આમ 3 ઓગ્સ્ટના જ દિવસે 2,649 નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

03 August, 2019 08:27 PM IST | ગાંધીનગર

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK