Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પ્રેમિકાની હત્યા છુપાવવા માટે બિહારી મજૂરે 9 લોકોની હત્યા કરી

પ્રેમિકાની હત્યા છુપાવવા માટે બિહારી મજૂરે 9 લોકોની હત્યા કરી

27 May, 2020 12:21 PM IST | Hyderabad
Agencies

પ્રેમિકાની હત્યા છુપાવવા માટે બિહારી મજૂરે 9 લોકોની હત્યા કરી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તેલંગાણામાં વારંગલના સરહદ વિસ્તારમાં કૂવામાંથી મળેલી ૯ લાશોના ગૂંચવાયેલા કોકડાનું રહસ્ય ઉકેલાઈ ગયું છે. વારંગલ પોલીસે જણાવ્યું કે આ તમામ હત્યા બિહારના પ્રવાસી મજૂર સંજયકુમાર યાદવે(૨૪) પ્રેમિકાની હત્યાની વાત છુપાવવા માટે કરી હતી. સંજયે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. તેણે બર્થડે પાર્ટીમાં તમામને જમવામાં ઊંઘની ગોળીઓ આપી દીધી હતી. ત્યારબાદ તમામ લોકો બેભાન થઈ ગયા તો તેને બધાને એક બોરીમાં ભરીને ગોરેકુંટા ખાતે આવેલા ગોડાઉન પાસેના કૂવામાં નાખી દીધા હતા.

વારંગલ પોલીસ કમિશનર વી. રવિન્દરે જણાવ્યું કે જે કૂવામાંથી લાશ મળી હતી તેની પાસે જ કોથળા બનાવવાની ફૅક્ટરી છે. અહીંયા પ્રવાસી મજૂરો રહે છે. આરોપી સંજય પણ અહીંયા જ રહેતો હતો. તેની સાથે પશ્ચિમ બંગાળનો રહેવાસી મકસૂદ પત્ની નિશા અને પરિવારના સભ્યો રહેતાં હતાં. તેની સાથે બિહારના વધુ બે અને ત્રિપુરાનો પણ એક યુવક રહેતો હતો.



તપાસમાં સામે આવ્યું કે સંજયના નિશાની ભત્રીજી રફીકા(૩૭)સાથે આડા સંબંધ હતા. રફીકા પણ પશ્ચિમ બંગાળની રહેવાસી હતી પણ તે તેના પતિથી અલગ થઈ ગઈ હતી. તેને ત્રણ બાળકો હતાં. સાથે સંજયે એક રૂમ ભાડે લીધો હતો, જ્યાં સંજય અને રફીકા એક સાથે રહેતાં હતાં. પોલીસે જણાવ્યું કે સંજયની રફીકાની દીકરી પર ખરાબ નજર હતી. આ વાત અંગે રફીકાએ સંજયને ચેતવણી પણ આપી હતી. આ જ કારણે સંજયે રફીકાની હત્યાનું કાવતરું ઘડ્યું. તેણે મકસૂદને જણાવ્યું કે હું રફીકા સાથે લગ્ન કરવા માગું છું. તેના માટે રફીકાના પરિવાર સાથે વાત કરવા માટે બંગાળ જાઉં છું.


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2020 12:21 PM IST | Hyderabad | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK