Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ૨૦ દિવસથી મોઢામાં ચાંદું છે જે ઠીક થતું નથી

૨૦ દિવસથી મોઢામાં ચાંદું છે જે ઠીક થતું નથી

Published : 29 January, 2024 09:02 AM | Modified : 29 January, 2024 09:23 AM | IST | Mumbai
Dr. Rajesh Kamdar | askgmd@mid-day.com

જો ગફલતમાં રહ્યા તો એ અલ્સર કૅન્સર સુધી તમને ખેંચી જઈ શકે છે.

પ્રતીકાત્મક તસવીર

ઑ .પી .ડી

પ્રતીકાત્મક તસવીર


હું ૪૮ વર્ષનો છું. મને મોઢામાં એક ચાંદું થયું છે. મોટા ભાગે મને ચાંદાં થતાં નથી, પરંતુ ક્યારેક થાય તો એ એની મેળે દસેક દિવસમાં જતું રહે છે. આ જે ચાંદું થયું છે એ મને જમણી બાજુના ગલોફા પાસે થયું છે અને એને વીસેક દિવસ થઈ ગયા એ જતું નથી. એ ચાંદામાં કદાચ પસ જેવું થઈ ગયું હશે, કારણ કે મને એ દુખે તો છે. મોઢામાં એક ચાંદું થયું હોય એવી નાની બાબત માટે પણ ડૉક્ટરને શું બતાવવાનું એમ મને લાગે છે. જોકે તકલીફ એ થાય છે કે એ ચાંદું વારંવાર મારાં બંને ચોકઠાં વચ્ચે આવી જાય છે અને મારી રાડ ફાટી જાય છે. હું શું કરું? 
  
મોટા ભાગે જે માઉથ અલ્સર જોવા મળે છે એ થોડો સમય મોઢામાં રહીને જાતે જ પોતાની મેળે હીલ થઈ જાય છે. આ પ્રકારનું અલ્સર કોઈ પણ રીતે નુકસાનકર્તા હોતું નથી. મોટા ભાગે આ પ્રકારનું અલ્સર ત્રણ-ચાર દિવસથી લઈને બે-ત્રણ અઠવાડિયાં સુધીમાં પોતાની મેળે જતું રહે છે. જો કોઈ પણ અલ્સર ત્રણ અઠવાડિયાંથી વધુ રહે તો એ પ્રૉબ્લેમે​ટિક ગણાય છે. આ પ્રકારના અલ્સરમાં વ્યક્તિને ડૉક્ટરની મદદ જરૂરી રહે છે. 


ચાંદું પડ્યું હોય અને એક-બે અઠવાડિયાંમાં એની મેળે સરખું થઈ જાય તો એ સાવ નૉર્મલ ગણાય છે જેના માટે ઇલાજની જરૂર નથી પડતી; પરંતુ જો અલ્સર લાંબા ગાળાનું હોય, ખૂબ દુખતું હોય અને એવું ને એવું જ હોય અથવા એ વધ્યા કરતું હોય કે ફેલાતું હોય તો ઇલાજ કરવો પડે છે. એ માટે ડૉક્ટરો મોટા ભાગે ઍન્ટિ-માઇક્રો​બિયલ માઉથ રીન્સ, સ્ટેરૉઇડવાળી અલ્સર પર લગાડવાની દવા, પેઇન અને ઇરિટેશન દૂર થાય એ માટેની દવા પણ આપતા હોય છે. 



સ્મોકિંગ કે આલ્કોહૉલ જેવી કોઈ આદત હોય, તમાકુ ચાવતી હોય એવી વ્યક્તિને માઉથ અલ્સર થાય જ છે. જ્યારે તે આ આદત છોડે છે ત્યારે પણ થાય છે જે થોડા દિવસમાં જતું પણ રહે છે, પરંતુ આ પ્રકારનું અલ્સર ખૂબ જ ગંભીર હોઈ શકે છે. આમ જો તમે આવી આદતો ધરાવતા હો, તમને અલ્સર સતત થોડા-થોડા સમયે થયા કરતું હોય કે એવું અલ્સર થાય જે લાંબા સમયથી હોય અને મટે જ નહીં તો એ માટે ડૉક્ટરની સલાહની જરૂર પડે છે. ખાસ તો આ અલ્સર પાછળનાં કારણો શોધવાની અને ઇલાજની પણ જરૂર પડે છે. જો ગફલતમાં રહ્યા તો એ અલ્સર કૅન્સર સુધી તમને ખેંચી જઈ શકે છે. આમ એક વખત ડૉક્ટરને બતાવી દો એ જરૂરી છે. 


Whatsapp-channel Whatsapp-channel

29 January, 2024 09:23 AM IST | Mumbai | Dr. Rajesh Kamdar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK