Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > શું ઇન્સ્યુલિન બંધ કરી શકાય ટાઇપ-વન ડાયાબિટીઝમાં?

શું ઇન્સ્યુલિન બંધ કરી શકાય ટાઇપ-વન ડાયાબિટીઝમાં?

Published : 25 February, 2022 01:16 PM | IST | Mumbai
Dr. Meeta Shah

અલગ-અલગ સમયે અલગ-અલગ યુનિટ. શું તેનું પૅન્ક્રિયાસ કામ કરતું થઈ જાય અને ઇન્સ્યુલિનની જરૂરિયાત બંધ થઈ જાય એવું કંઈ ખરું? મારી દીકરીની ઉંમર ૮ વર્ષ છે અને એનું ૨૦ કિલો વજન છે. 

પ્રતીકાત્મક તસવીર

ઓ.પી.ડી.

પ્રતીકાત્મક તસવીર


મારી દીકરીને ટાઇપ-વન ડાયાબિટીઝ છે. હૉસ્પિટલમાં એને ૪ દિવસ દાખલ પણ કરેલી. હવે અત્યારે ૨૫ દિવસ પછી શુગર લેવલમાં આવવા લાગ્યું છે. ડૉક્ટરનું કહેવું છે કે આજીવન ઇન્સ્યુલિન લેવું પડશે. અત્યારે દિવસમાં અમે ૪ વાર ઇન્સ્યુલિન આપીએ છીએ. અલગ-અલગ સમયે અલગ-અલગ યુનિટ. શું તેનું પૅન્ક્રિયાસ કામ કરતું થઈ જાય અને ઇન્સ્યુલિનની જરૂરિયાત બંધ થઈ જાય એવું કંઈ ખરું? મારી દીકરીની ઉંમર ૮ વર્ષ છે અને એનું ૨૦ કિલો વજન છે. 
 
બાળકને તકલીફમાં જોઈને તમે આ પૂછી રહ્યાં છો એ સમજી શકું છું. ટાઇપ-વન ડાયાબિટીઝના દરેક બાળકનાં માતા-પિતાને એવું હોય છે કે બાળકને ઇન્સ્યુલિનની સોય લેવી ન પડે. ટાઇપ-ટૂ ડાયાબિટીઝમાં એવું હોય છે કે ઇન્સ્યુલિન છોડાવવી હોય તો શક્યતા છે, પરંતુ ટાઇપ-વનમાં એવું નથી હોતું. આ મોટા ભાગે જીનેટિક કારણસર થતું ડાયાબિટીઝ છે. કોઈ પણ બાળકને એ ન થાય એ માટે આપણે કશું કરી શકતા નથી, કારણ કે આ એક ઑટો ઇમ્યુન ડિસીઝ છે. બાળકની રોગપ્રતિકારક શક્તિ અમુક પ્રકારે તેના પૅન્ક્રિયાસની કામગીરીને ખોરવે છે જેને લીધે ઇન્સ્યુલિનનું નિર્માણ જ થતું નથી અને એને લીધે શુગરનો પ્રૉબ્લેમ થાય છે, જયારે ટાઇપ-ટૂ ડાયાબિટીઝમાં ઇન્સ્યુલિન તો બને છે, પરંતુ કેટલાંક કારણસર એ ઇન્સ્યુલિન કામ બરાબર નથી કરતું. ટાઈપ-વન ડાયાબિટીઝ વધુ અગ્રેસિવ છે. જો બાળકને ઇન્સ્યુલિન ન મળે તો બાળક કોમામાં સરી શકે છે. એને લીધે માતા-પિતા એકદમ જાગ્રત રહીને બાળકનો ઇલાજ ચાલુ જ રાખે એ જરૂરી છે. આ રોગ એના માટે જીવનભરનો છે. બાળકની શુગરનું ધ્યાન રાખવું ખૂબ મહત્ત્વનું છે. ઍલોપથી, હોમિયોપથી કે આયુર્વેદ કશામાં પણ એનો ઇલાજ નથી જ. પૅન્ક્રિયાસને કામ કરતું કરી શકવાની કોઈ શક્યતા નથી. આ હકીકતને તમે જેટલું જલદી સ્વીકાર કરશો એટલું જ જલદી તમે બાળકને આ રૂટીનમાં ઢાળી શકશો. આ રોગમાં માનસિક સજ્જતા જરૂરી છે. બાળકને આ માટે તૈયાર તમે ત્યારે કરી શકશો જ્યારે તમે ખુદ આ રોગનો સ્વીકાર કરી લેશો. અત્યારે શરૂઆત છે. થોડો સમય જશે પછી આપોઆપ તમને અને તમારી દીકરી બન્નેને ઇન્સ્યુલિન લેવાનું નૉર્મલ લાગવા માંડશે. માટે ચિંતા ન કરો.


Whatsapp-channel Whatsapp-channel

25 February, 2022 01:16 PM IST | Mumbai | Dr. Meeta Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK