Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ૬ મહિનાના બાળકને બહારનું ખાવાનું કઈ રીતે શરૂ કરાવવું?

૬ મહિનાના બાળકને બહારનું ખાવાનું કઈ રીતે શરૂ કરાવવું?

26 November, 2021 06:56 PM IST | Mumbai
Dr. Pankaj Parekh

હું ઘણી વસ્તુઓ ટ્રાય કરી ચૂકી છું. તેને અન્ન ખાતાં કેવી રીતે કરું એ જ મને સમજાતું નથી. ખૂબ અઘરું તઈ રહ્યું છે. માર્ગદર્શન આપશો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મારી દીકરી ૬ મહિનાની થઈ એને ૧૫ દિવસ થઈ ગયા. ધીમે-ધીમે સ્તનપાન સાથે તેનો ખોરાક શરૂ કરવાનો છે, પરંતુ તકલીફ એ છે કે તે ખાતી જ નથી. તેના મોઢામાં જેકાંઈ મૂકો તે બહાર થૂકી નાખે છે. તેને ફક્ત સ્તનપાન જ કરવું છે, બહારનું કાંઈ ખાવું નથી. તેને શું ભાવશે એ જ મને સમજાતું નથી. હું ઘણી વસ્તુઓ ટ્રાય કરી ચૂકી છું. તેને અન્ન ખાતાં કેવી રીતે કરું એ જ મને સમજાતું નથી. ખૂબ અઘરું તઈ રહ્યું છે. માર્ગદર્શન આપશો.  
 
સ્તનપાન કરતા બાળકને ઉપરનો ખોરાક - જેમ કે ભાતનું ઓસામણ, દાળનું પાણી, ખીચડી, ક્રશ કરેલાં શાકભાજી કે ફળ ખાતાં કરવાનું સહેલું નથી, જોકે સમજવું જરૂરી છે કે બાળકને શરૂઆતમાં કંઈ પણ આપશો તો તે નહીં જ ખાય. બાળકને ભાવવા કે નહીં ભાવવા જેવું કશું હોતું જ નથી, કારણ કે હજી તેનો ટેસ્ટ ડેવલપ થયો નથી. એક દિવસ તેણે કશું ન ખાધું તો બીજા દિવસે એ જ સમયે એ જ વસ્તુ તેને આપો. તેને ટેસ્ટ સમજવા માટે પણ સમય જોઈશે. વળી એકસાથે ઘણી બધી વસ્તુની તેને ઓળખ ન કરાવો. જેમ કે આજે આખા દિવસમાં મગનું પાણી, દૂધીનું સૂપ, સફરજનની ચીરી અને ભાતનું ઓસામણ આપ્યું તો અઠવાડિયા સુધી એ જ આપો. બને ત્યાં સુધી સમય પણ નિશ્ચિત રાખો બીજા અઠવાડિયે નવા સ્વાદવાળો ખોરાક આપો. આ ઉમરે બધું ખાતાં શીખવાની આદત પાડશો તો જીવનભર ખાવાને લઈને બાળકને કોઈ પ્રૉબ્લેમ આવશે નહીં.
જ્યારે બાળકને સ્તનપાન કરાવતા હોઈએ ત્યારે બહારનો ખોરાક સ્તનપાન બાદ તરત જ ન આપવો. બાળક ભૂખ્યું થાય પછી જ આપવો. બને તો તેના સમય ફિક્સ કરી નાખો જેનાથી બાળકને સમજાય કે તેને આ સમયે દૂધ નહીં, પરંતુ ખોરાક જ મળશે. માનું દૂધ અને બાકીના પદાર્થો વચ્ચેનો રેશિયો સમજી લેવો જરૂરી છે. દૂધ કેટલું અને ઉપરનો ખોરાક કેટલો એ સમજીએ તો ૬થી ૯ મહિના સુધી ૭૦ ટકા માનું દૂધ અને ૩૦ ટકા ઉપરનો ખોરાક આપવો જોઈએ. ૯ મહિના પછી બાળકને ૫૦ ટકા માનું દૂધ અને ૫૦ ટકા ઉપરનો ખોરાક આપવો. મોટા ભાગે ૧ વર્ષ પછી ઘણી સ્ત્રીઓ પોતાનું દૂધ આપવાનું બંધ કરી દે છે. જો ન કર્યું હોય તો ૧ વર્ષ પછી ૭૦ ટકા ઉપરનો ખોરાક અને ૩૦ ટકા માનું દૂધ આપી શકાય.


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2021 06:56 PM IST | Mumbai | Dr. Pankaj Parekh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK