હા, હનુમાનજી બ્રહ્મચારી જ છે, બાલબ્રહ્મચારી; પરંતુ તેલંગણના ખમ્મમ પાસે નાનકડા કસબા યેલ્લનાડુમાં અંજનીસુત તેમની પત્ની સાથે પૂજાય છે. મહાબલીની આ કહાની જાણવા આપણે જઈએ યેલ્લનાડુની યાત્રાએ.
તીર્થાટન
યેલ્લનાડુમાં અંજનીસુત
હનુમાનજી લોકદેવ છે. દરેક વયના લોકો તેમની સાથે કનેક્ટ થઈ શકે. બાળકો માટે તે સૂરજને લાડવો સમજીને ગળી જતો નટખટ બાળહનુમાન છે તો સ્ત્રીઓ માટે લંકા જઈને સીતાજીની ભાળ લઈ આવતો ચિરંજીવપુત્ર જેવો છે. યુવાનો અને પુરુષો માટે તે અતૂટ શક્તિ પ્રદાન કરતા શક્તિમાન દેવ છે તો વયસ્કો માટે પ્રભુ રામ સુધી તેમનો સંદેશો પહોંચાડતો દૂત છે.