ઑફિસના આંતરિક દેખાવમાં પરિવર્તન લાવો એવી પણ શક્યતા છે. બપોર પછી નવા વેપારીસોદાનું સાહસ ખેડવું નથી.
ફાઇલ તસવીર
એરિઝ : ગણેશજીની કૃપાથી આજે અનોખા ઉત્સાહનો અનુભવ કરશો. ઉત્સાહથી પ્રેરાઈને આપને મનગમતી સર્જનાત્મક પ્રવૃત્તિ કરવાનું મન થાય. આપના વિચારોને કેનવાસ ૫ર ઉતારવાની ઇચ્છા થાય.
ટૉરસ : આપનો સ્વભાવ અધીરો અને ઉતાવળિયો હોવા છતાં આજે દરેક કામ ધીરજપૂર્વક કરશો. બપોર પછી આપને કામમાં ઑફિસના ઉ૫રી અધિકારીઓ તથા સહકર્મચારીઓનો સારો સહકાર મળશે.
જેમિની : આજે ૫રિવાર આપના ધ્યાનનું કેન્દ્ર બનશે. ગણેશજી કહે છે કે આપ પરિવારજનો સાથે કેટલોક સમય વિતાવશો, ૫રંતુ ઘરકામની રોજિંદી પ્રવૃત્તિઓ આપના દિવસને શુષ્ક અને નીરસ બનાવશે.
કેન્સર : આજે ઑફિસમાં આપ બુદ્ધિક્ષમતાનો ઉપયોગ કરીને લાભ મેળવી શકશો. ઑફિસના આંતરિક દેખાવમાં પરિવર્તન લાવો એવી પણ શક્યતા છે. બપોર પછી નવા વેપારીસોદાનું સાહસ ખેડવું નથી.
લિઓ : આવક-ખર્ચનાં ૫લ્લાં સરભર કરવા ૫ર ધ્યાન કેન્દ્રીત કરશો. શૅરદલાલોને સારું માર્જિન રહેશે. બાકી નીકળતી રકમો ચૂકવી દેવા માટે આજે અનુકૂળ દિવસ છે. ભાગીદાર સાથેના સંબંધો વધુ સુમેળભર્યા રહેશે.
વર્ગો : આજે આપના સ્વભાવનાં બે વિરોધાભાસી પાસાં જોવા મળશે. એક તરફ આપ લાગણીઓથી છલકતા હશો તો બીજી તરફ આનાથી વિ૫રિત દરેક જણ સાથે રકઝક કરવાના મૂડમાં હશો.
લિબ્રા : આજે આપ ઘર-પરિવાર તરફ ધ્યાન કેન્દ્રિત કરશો, એના માટે બીજાં બધાં કામ બાજુ પર મૂકી દેશો. ઘરમાં ફેરફાર લાવવાનો આપને વિચાર આવશે અને એના માટે આપ ફર્નિચર તથા કલાકૃતિ ખરીદો.
સ્કૉર્પિયો : આજે આપ પોતાની સમજશક્તિમાં વધારો અનુભવી શકશો. આપ આપની કાર્યક્ષમતાને યોગ્ય દિશામાં વાળશો, જેના લીધે આપ સમાજમાં નામ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી કરશો.
સેજિટેરિયસ : આપ ઘરકામના રોજિંદા કાર્યમાંથી ફુરસદ નહીં મેળવી શકો. આપના પ્રિયપાત્ર સાથે બહાર ફરવા જવાનો કાર્યક્રમ થાય. પ્રસાર માધ્યમો સાથે સંકળાયેલા લોકો માટે શુભ અને લાભકારી દિવસ છે.
કેપ્રિકોર્ન : વ્યવસાય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ સારો છે. તેઓ સારા વેપારી સંબંધો બાંધી શકશે. નવા પ્રોજેક્ટ કે અગત્યની મીટિંગો, દસ્તાવેજો કે કરાર માટે આજનો દિવસ શુભ છે.
એક્વેરિયસ : કારકિર્દીલક્ષી લોકો માટે આજનો દિવસ બહુ ઉત્સાહજનક નથી. પ્રગતિના માર્ગમાં અવરોધો આવતા જણાશો. બપોર ૫છીનો સમય કોઈ મહત્ત્વની અને અંગત મુલાકાત માટે અનુકૂળ છે.
પાઇસિસ : આજે આર્થિક ધનલાભની શક્યતા છે. વિદેશી કં૫નીઓ કે એની સાથેના વેપારથી આપને લાભ થશે. આપના પરોપકારી સ્વભાવનો પરિચય થશે. આના કારણે સામાજિક માન પ્રતિષ્ઠા વધશે.