સામાન્ય રીતે દરેક વ્યક્તિ વૉલેટ કે પર્સ પોતાની સાથે રાખતી હોય છે, પણ એ કેવા કલરનું હોવું જોઈએ એ બહુ મહત્ત્વનું છે. કેવા કલરનું વૉલેટ રાખવું અને એ વૉલેટ રાખવાથી શું ફાયદો થઈ શકે એ જાણવા જેવું છે
શુક્ર-શનિ
પ્રતીકાત્મક તસવીર
વૉલેટ કે પર્સ કેવા કલરનું હોવું જોઈએ અને એનાથી શું લાભ થઈ શકે છે એ વિશે વાત કરતાં પહેલાં થોડી ચોખવટ કરવાની છે. પૈસો લક્ષ્મીનું પ્રતીક છે એટલે ક્યારેય લક્ષ્મીને કાળા રંગના આવરણમાં ન રાખવી જોઈએ. એટલે કે પુરુષોએ ક્યારેય બ્લૅક વૉલેટ કે છોકરીઓએ ક્યારેય કાળા રંગનું પર્સ ન રાખવું જોઈએ. બીજી વાત, પૈસા સાથે ક્યારેય કોઈ ધારદાર ચીજ રાખવી નહીં. ઘણા લોકો પોતાના વૉલેટમાં ટૂથપિક જેવી ચીજ રાખતા હોય છે, પણ એ બન્નેને એક સ્થાનમાં રાખવા જોઈએ નહીં. ત્રીજી વાત, ભારતીય પરંપરાની છેલ્લી શતાબ્દીમાં અહિંસાનો મહિમા રહ્યો છે એટલે પૈસાને ક્યારેય રિયલ લેધરના બનેલા વૉલેટ કે પર્સમાં રાખવા જોઈએ નહીં. એ માટે હંમેશાં આર્ટિફિશ્યલ કે મૅનમેડ લેધરના જ વૉલેટ અને પર્સનો ઉપયોગ કરવો જોઈએ.
હવે વાત કરીએ કે કેવા કલરના વૉલેટ-પર્સનો ઉપયોગ કરવો જોઈએ અને એ કલરથી શું લાભ થઈ શકે છે?