Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આ કલાકારે કરી સ્પષ્ટતા : જલ્દી પાછો ફરીશ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આ કલાકારે કરી સ્પષ્ટતા : જલ્દી પાછો ફરીશ

28 March, 2019 07:59 PM IST |

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આ કલાકારે કરી સ્પષ્ટતા : જલ્દી પાછો ફરીશ

મયુર વાકાણી ઉર્ફે સુંદર લાલ બહેન દિશા વાકાણી ઉર્ફે દયા બહેન ગડા સાથે

મયુર વાકાણી ઉર્ફે સુંદર લાલ બહેન દિશા વાકાણી ઉર્ફે દયા બહેન ગડા સાથે


છેલ્લા ઘણા સમયથી દેશભરની જાણીતી અને લોકપ્રિય સીરિયલ તારક મહેતા ઉલ્ટા ચશ્મા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે તેના લોકપ્રિય પાત્ર દયાબેન એટલે કે દિશા વાકાણી તેના પુત્રીના જન્મ બાદ શોમાં નથી આવી રહ્યા. ત્યારે તેમના શો છોડવાને લઇને લોકોમાં ભારે ચર્ચા થઇ રહી છે. તેવામાં આ શોથી જોડાયેલા વધુ એક ગુજરાતી કલાકારે ગુજરાતી મિડ ડે ડોટ કોમને જણાવ્યું હતું કે તે જલ્દીથી આ શોમાં પરત ફરશે.

દિશા વાકાણીને આપવામાં આવી છે અંતિમ તક



તાજેતરમાં જ શૉ સાથે જોડાયેલ સમાચાર આવ્યા હતા કે દિશા વાકાણીને નૉટિસ આપવામાં આવી હતી. એવા પણ સમાચાર આવી રહ્યા છે કે સીરિયલમાં નવા દયાબેન શોધવાની શોખ ખોળ ચાલુ કરી દીધી છે. ત્યારે છેલ્લા ઘણા દિવસથી એવા સમાચાર આવી રહ્યા હતા કે સીરિયલમાં અને રીયલ લાઇફમાં દિશા વાકાણીનો ભાઇ સુંદર લાલ એટલે કે મયુર વાકાણી પણ આ શો ને અલવિદા કહેશે. ત્યારે www.gujaratimidday.com ના ડેપ્યુટી એડિટર અધિરાજસિંહ જાડેજાએ મયુર વાકાણી સાથે વાત કરતા ખુલાસો કર્યો હતો કે ખબર નહી કેમ અને કેવી રીતે આ અફવા ફરી રહી છે પરંતુ હું ક્યાય નથી જવાનો અને ટૂંક સમયમાં જ શૉમાં પાછો ફરીશ.


લોકપ્રિય ટેલિવીઝન શૉ તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા અત્યારે શૉના આર્ટિસ્ટ્સને લઈને ચર્ચાનો વિષય બનેલ છે. શૉના પ્રૉડ્યુસરે દિશા વાકાણીને 30 દિવસની નૉટિસ આપ્યા બાદ ખબર એ આવી રહી હતી કે દિશા વાકાણીના ભાઈ મયુર વાકાણી શૉ છોડીને જવાના છે. તે બાબતે મિડ ડે ડૉટ કૉમ સાથેના ઈન્ટરવ્યુમાં મયુર વાકાણીએ પોતે જ કહ્યું કે "આ અફવાઓ કોણ ફેલાવી રહ્યું છે અને ક્યાંથી આવી છે તેનો મને ખ્યાલ આવતો નથી પણ તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા મારો મનપસંદ શૉ છે અને હું આ શૉનો ભાગ છું અને ટૂંક સમયમાં તમને શૉમાં જોવા મળીશ."

દિશા વાકાણીને નૉટિસ આપવામાં આવી છે તે બાબતે ભાઈ મયુર વાકાણી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે "દિશાને શૉમાં પાછા આવવું કે નહીં તે તેનો નિર્ણય છે." આમ દિશા વાકાણીના શૉમાં પાછાં આવવા કે ન આવવા બાબતે ભાઈ મયુર વાકાણીએ કોઈ જ સ્પષ્ટતા કરી નથી પણ તેમણે કહ્યું છે કે જે પણ નિર્ણય હશે તે દિશા અને તેમના પરિવારનો રહેશે.


આ પણ વાંચો : જુઓ પાર્ટીપ્રેમી રોશન સિંહ સોઢીનો અનસીન અવતાર

ઉલ્લેખનીય છે કે તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા શૉ માત્ર સામાન્ય પ્રજાનો જ નહી પરંતુ એ શૉ ભજવનાર અભિનેતાઓનો પણ મનપસંદ શૉ છે આ બાબતનો ખ્યાલ શૉના અભિનેતાઓ સાથે થતી વાતચીત પરથી આવી જાય છે. પછી તે શૉમાં કામ કરતાં સુંદરલાલ ઉર્ફે મયુર વાકાણી હોય કે શૉ છોડીને ગયેલ ટપુ ઉર્ફે ભવ્ય ગાંધી .

Whatsapp-channel Whatsapp-channel

28 March, 2019 07:59 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK