Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બારામતીમાં મતદાનના બે દિવસ પહેલાં અજિત પવારનો પુત્ર મનોજ જરાંગે પાટીલને મળવા દોડ્યો

બારામતીમાં મતદાનના બે દિવસ પહેલાં અજિત પવારનો પુત્ર મનોજ જરાંગે પાટીલને મળવા દોડ્યો

06 May, 2024 07:29 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જય પવારે મનોજ જરાંગે પાટીલની મુલાકાત કરી હોવાનું કહેવાય છે

અજિત પવારનો પુત્ર જય

અજિત પવારનો પુત્ર જય


મરાઠા સમાજને આરક્ષણ આપવાની માગણી સાથે મહારાષ્ટ્રને માથે લેનારા મનોજ જરાંગે પાટીલને મળવા ગઈ કાલે અચાનક મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનો પુત્ર જય મુંબઈથી જળગાવના અંતરવાલી સરાટી દોડી ગયો હતો. મરાઠા આંદોલન વખતે અજિત પવાર જૂથની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા છગન ભુજબળે આક્રમક વલણ અપનાવ્યું હતું. આથી મનોજ જરાંગે પાટીલે મહાયુતિના ઉમેદવારોને મત ન આપવાનું વલણ અપનાવ્યું છે. અજિત પવારનાં પત્ની સુનેત્રા પવાર બારામતીમાં સુપ્રિયા સુળે સામે લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે ત્યારે આ મતદાર ક્ષેત્રમાં વસતા મરાઠા સમાજના લોકો મુશ્કેલી ઊભી ન કરે એ માટે જય પવારે મનોજ જરાંગે પાટીલની મુલાકાત કરી હોવાનું કહેવાય છે. જોકે સત્તાવાર રીતે બન્નેમાંથી કોઈએ આ ‌મુલાકાત વિશે કંઈ કહ્યું નથી.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK