દેશભક્તિ પર દિલથી ફિલ્મ બનાવો તો હંમેશાં સફળ રહે છે : સોનાક્ષી સિંહા
સોનાક્ષી સિંહાનું કહેવું છે કે દેશભક્તિ પર દિલથી બનાવેલી ફિલ્મ હંમેશાં સફળ રહે છે. તેની ‘મિશન મંગલ’ સફળ ફિલ્મ રહી છે અને આ ફિલ્મ દેશભક્તિ પર આધારિત છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં ૧૯૩.૧૪ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ વિશે વધુ જણાવતાં સોનાક્ષીએ કહ્યું હતું કે ‘મને ખુબ જ ખુશી છે. આ સફળતાની હું ઘણાં સમયથી રાહ જોઈ રહી હતી. આ ખૂબ જ સ્પેશ્યલ ફિલ્મ છે અને ટીમ સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો હતો. આ ખૂબ જ પોઝિટીવ ફિલીંગ્સ છે. આ મિશનને સફળ બનાવનાર દરેક વૈજ્ઞાનિકોને સલામ છે. સાચું કહું તો આ ફિલ્મ સફળ રહેશે એનો મને વિશ્વાસ હતો કારણકે આ આપણાં દેશની ખૂબ જ મોટી સિદ્ધિ છે. મારું માનવું છે કે જો તમે દેશભક્તિની ફિલ્મ ખૂબ જ દિલથી બનાવો તો એ હંમેશાં સફળ રહે છે.’
ટ્રોલ્સ અને નફરત કરનારાઓથી કોઈ ફરક નથી પડતો સોનાક્ષી સિંહાને
ADVERTISEMENT
સોનાક્ષી સિંહાનું કહેવું છે કે તેને ટ્રોલ કરનારા લોકોથી કોઈ ફરક નથી પડતો. સોનાક્ષી છેલ્લી મોટાભાગની ફિલ્મો ફ્લોપ રહી છે અને તેણે ઘણાં સમય બાદ ‘મિશન મંગલ’ દ્વારા સફળતા ચાખી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં ૧૯૩.૧૪ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ વિશે વધુ જણાવતાં સોનાક્ષીએ કહ્યું હતું કે ‘દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે. ફક્ત ઍક્ટર્સ નહીં રિક્ષાવાળાના જીવનમાં પણ ઉતાર-ચઢાવ આવે છે. આ નોર્મલ છે.
આ પણ વાંચોઃ રાજકારણીથી લઈ બોલીવુડ સુધી, જાણો કેટલું ભણેલા છે તમારા ફેવરિટ સેલિબ્રિટીઝ
ટ્રોલ કરનારા અને મને નફરત કરનારા લોકો મારા વિશે શું કહે છે એનાથી મને કોઈ ફરક નથી પડતો કારણ કે હું અહીં જ રહેવાની છું અને તેઓ તેમનું કામ કરતાં રહેવાના છે. મારામાં એ ક્વૉલિટી છે કે હું મારી આસપાસની દરેક નૅગેટિવિટીમાંથી દૂર રહી શકું છું. પૉઝિટિવ રહીને કામ પર ધ્યાન આપવાનું ખૂબ જ જરૂરી છે.’