હું સફળ ઍક્ટ્રેસ નથી : રાધિકા આપ્ટે
અભિનેત્રી રાધિકા આપ્ટે
રાધિકા આપ્ટેનું કહેવું છે કે તે સફળ ઍક્ટ્રેસ હોય એવું તેને બિલકુલ નથી લાગતું. શ્રીરામ રાઘવનની ‘બદલાપુર’ બાદ તે બૉલીવુડમાં જાણીતો ચહેરો બની ગઈ હતી. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સને કારણે તે ખૂબ જ પૉપ્યુલર બની ગઈ છે. તેણે ‘પૅડમૅન’ અને ‘અંધાધુન’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ વિશે વધુ જણાવતાં રાધિકાએ કહ્યું હતું કે ‘મારે બૉલીવુડની ટોચની મહિલાઓ અને પુરુષો સાથે કામ કરવું છે. મારા માટે જે સક્સેસ છે એ અન્ય વ્યક્તિઓ માટે અલગ રહેશે. મને નથી લાગતું કે હું સફળ ઍક્ટ્રેસ છું, કારણ કે મારે જે મેળવવું છે એ હજી સુધી મેં નથી મેળવ્યું.’
આ પણ વાંચોઃ ઍક્ટિંગ એ ઇન્વેસ્ટિગેશન જેવું કામ છે : રાધિકા આપ્ટે