Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પોઝિટિવિટી ફેલાવવા માટે પિતા પાસેથી પ્રેરણા મળે છે અનુષ્કાને

પોઝિટિવિટી ફેલાવવા માટે પિતા પાસેથી પ્રેરણા મળે છે અનુષ્કાને

07 September, 2019 11:00 AM IST | મુંબઈ

પોઝિટિવિટી ફેલાવવા માટે પિતા પાસેથી પ્રેરણા મળે છે અનુષ્કાને

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા


અનુષ્કા શર્માનું કહેવું છે કે તેનાં પિતાએ શીખવાડ્યુ છે કે કોઈપણ સ્થિતિ હોય દિલમાં કરૂણા હોવી જરૂરી છે. અનુષ્કા હાલમાં સૌને સકારાત્મક અભીગમ અપનાવવાનો સંદેશ આપી રહી છે. એના માટે તે ‘લવ એન્ડ લાઇટ’ પ્રોજેક્ટ સાથે જોડાઈ છે. અનુષ્કાએ એક વિડિયો ટ્‍‍વિટર પર શૅર કર્યો હતો. વિડિયોમાં તે હૅપી ટ્વીટસ વાંચી રહી છે. આ વિડિયોને ટ્‍‍વિટર પર શૅર કરીને અનુષ્કાએ ટ્વીટ કર્યું હતું કે ‘મારા ડૅડી મને હંમેશાં બે વસ્તુઓ શીખવાડતા હતાં. એક કે હંમેશાં સારા અને સાચા કામ કરો. બીજુ કે સ્થિતિ કંઈ પણ હોય દિલમાં દયા રાખવી જોઈએ. જોકે દયાળુ બનવા માટે તમારામાં એ માટેની ઝંખના હોવી જરૂરી છે. આ દૂનિયા એક સકર્લ જેવી છે. તમે જે કામ બીજા માટે કરશો એ જ તમને પાછું મળવાનું છે.’

આ પણ વાંચો : દિલજિત દોસંજ કેમ વધુ ફિલ્મ સાઇન નથી કરતો?



આ ‘લવ એન્ડ લાઇટ’ પ્રોજેક્ટ અંગે અનુષ્કાએ કહ્યું હતું કે ‘પ્રોજેક્ટ ‘લવ એન્ડ લાઇટ’ લોકો સાથે રચનાત્મક ઢબે જોડાવા માટે એક સામાજિક પ્રયોગ છે. ના કે પરસ્પર નકારાત્મકતા ફેલાવવા માટે. મારું માનવું છે કે સકારાત્મકતા અને સકારાત્મક અભિગમ અપનાવીને આપણે દુનિયાને એક ઉત્તમ સ્થાન બનાવી શકીએ છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2019 11:00 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK