અક્ષયે કોઈને પણ સફાઈ આપવાની જરૂર જ નથી: અનુપમ ખેર
અનુપમ ખેર
અનુપમ ખેરનું કહેવું છે કે અક્ષયકુમારે કોઈ પણ સ્ટેટમેન્ટ આપવાની જરૂર નથી. લોકસભાના ઇલેક્શનમાં અક્ષયકુમારે વોટિંગ કર્યું ન હોવાથી તેના નાગરિકત્વ વિશે ઘણી ચર્ચા ઊપડી છે તેમ જ તેને નૅશનલ અવૉર્ડ આપવામાં આવ્યો હતો એ વિશે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. અક્ષયકુમારે હાલમાં તેના કૅનેડાના નાગરિકત્વને લઈને સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું. એ વિશે અનુપમ ખેરે ટ્વીટ કર્યું હતું કે ‘ડિયર અક્ષયકુમાર, હું હાલમાં ઘણી જગ્યાએ વાંચી રહ્યો છું કે તું દેશ પ્રત્યેની તારી નિષ્ઠા વિશે લોકોને સમજાવી રહ્યો છે. એ કરવાની જરૂર નથી.
આ પણ વાંચો : આ છે બોલીવુડ સેલેબ્સના સૌથી ક્યુટ બાળકો, જુઓ ફોટોઝ
ADVERTISEMENT
આ લોકોનું કામ જ છે કે દેશનાં હિત માટે બોલતી તારા અને મારા જેવી વ્યક્તિઓને તેઓ અટકાવે. એને જ તેમણે તેમનું પ્રોફેશન બનાવી દીધું છે. તું એક એવી વ્યક્તિ છે જે સારું કામ કરે છે. તારે કોઈને કંઈ પણ સફાઈ આપવાની જરૂર નથી.’