Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અક્ષયે કોઈને પણ સફાઈ આપવાની જરૂર જ નથી: અનુપમ ખેર

અક્ષયે કોઈને પણ સફાઈ આપવાની જરૂર જ નથી: અનુપમ ખેર

06 May, 2019 09:03 AM IST | મુંબઈ

અક્ષયે કોઈને પણ સફાઈ આપવાની જરૂર જ નથી: અનુપમ ખેર

અનુપમ ખેર

અનુપમ ખેર


અનુપમ ખેરનું કહેવું છે કે અક્ષયકુમારે કોઈ પણ સ્ટેટમેન્ટ આપવાની જરૂર નથી. લોકસભાના ઇલેક્શનમાં અક્ષયકુમારે વોટિંગ કર્યું ન હોવાથી તેના નાગરિકત્વ વિશે ઘણી ચર્ચા ઊપડી છે તેમ જ તેને નૅશનલ અવૉર્ડ આપવામાં આવ્યો હતો એ વિશે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. અક્ષયકુમારે હાલમાં તેના કૅનેડાના નાગરિકત્વને લઈને સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું. એ વિશે અનુપમ ખેરે ટ્વીટ કર્યું હતું કે ‘ડિયર અક્ષયકુમાર, હું હાલમાં ઘણી જગ્યાએ વાંચી રહ્યો છું કે તું દેશ પ્રત્યેની તારી નિષ્ઠા વિશે લોકોને સમજાવી રહ્યો છે. એ કરવાની જરૂર નથી.

આ પણ વાંચો : આ છે બોલીવુડ સેલેબ્સના સૌથી ક્યુટ બાળકો, જુઓ ફોટોઝ



આ લોકોનું કામ જ છે કે દેશનાં હિત માટે બોલતી તારા અને મારા જેવી વ્યક્તિઓને તેઓ અટકાવે. એને જ તેમણે તેમનું પ્રોફેશન બનાવી દીધું છે. તું એક એવી વ્યક્તિ છે જે સારું કામ કરે છે. તારે કોઈને કંઈ પણ સફાઈ આપવાની જરૂર નથી.’


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2019 09:03 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK