મૅરેજ-ઍનિવર્સરી પર સ્પેશ્યલ મેસેજ સાથે વાઇફને વિશ કર્યું અનિલ કપૂરે
અનિલ કપૂર સાથે પત્ની સુનીતા કપૂર
અનિલ કપૂરે મૅરેજ-ઍનિવર્સરી પર સુનીતા કપૂર માટે સોશ્યલ મીડિયા પર સ્પેશ્યલ મેસેજ લખ્યો હતો. ૧૯૮૪ની ૧૯ મેએ આ બન્નેનાં લગ્ન થયાં હતાં. તેમનાં લગ્નજીવનને ૩૫ વર્ષ થયાં છે. તેમણે એકબીજાને ૧૧ વર્ષ સુધી ડેટ કર્યાં હતાં. વાઇફ સુનીતા સાથેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને ટ્વીટ કર્યું હતું કે ‘મારી લાઇફમાં જો કોઈ સૌથી સારી બાબત બની હોય તો એ તું છે. સાથે વિતાવેલી આપણી લાઇફ પણ એક મોટા ઍડ્વેન્ચર જેવી જ છે. હું એ વસ્તુને બદલવા નથી માગતો. ૧૧ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા અને ૩૫ વર્ષનું લગ્નજીવન. હું મારી લાઇફનાં ૪૬ વર્ષ પણ તારી સાથે વિતાવવા માગું છું. હૅપી મૅરેજ-ઍનિવર્સરી. લવ યુ સુનીતા કપૂર.’
અનિલ કપૂર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સુનીતા કપૂરે કૅપ્શન આપી હતી કે ‘સારા સમયને આપણે સાથે વિતાવ્યો છે, કપરા સમયને આપણે સહન કર્યો છે અને પ્રેમમાં વિશ્વાસે આપણને માર્ગ દેખાડ્યો છે. હસવું અને જીવવું, વિશ્વાસ કરવો અને માફી આપવી. હંમેશાં એકબીજાની પડખે ઊભાં રહીને આપણે દિવસો પસાર કર્યા. આવી રીતે અનેક વર્ષો પણ વીતી ગયાં.’
ADVERTISEMENT
મહિલા પ્રધાન ફિલ્મોની મારી ચૉઇસને કારણે લોકો ચોંકી જતા હતા: અનિલ કપૂર
અનિલ કપૂરે જણાવ્યું હતું કે તેમણે જે મહિલા પ્રધાન ફિલ્મો કરી હતી એના કારણે લોકો ખૂબ ચોંકી જતા હતા. જોકે તેઓ માત્ર સારી સ્ટોરી અને સારા રોલને મહત્ત્વ આપે છે. આ વિશે વધુ જણાવતાં અનિલ કપૂરે કહ્યું હતું કે ‘મેં જ્યારે ‘જુદાઈ’ અને એના જેવી કેટલીક ફિલ્મો કરી તો ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકોને આશ્ચર્ય થયું હતું અને તેઓ ચોંકી ગયા હતા કે હું શું કામ એવી ફિલ્મો કરું છું જેમાં હિરોઇનનો રોલ મારા કરતાં સારો અથવા તો મારી બરાબરીનો હોય.
આ પણ વાંચો : બિઝનેસ ટાઈકૂન મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી સાથે ઋષિ કપૂરને મળ્યા
અમુક લોકોની આવી વિચારધારા હતી. જોકે મેં હંમેશાં એવી ફિલ્મો પસંદ કરી છે જેમાં મારા માટે સારો રોલ હોય અથવા તો સ્ટોરી સારી હોય. ઉદાહરણ તરીકે માધુરી દીક્ષિત નેને અથવા તો શ્રીદેવી સાથે મેં જે ફિલ્મો કરી છે અમાં તેમનો રોલ વધુ સારો હતો. મેં આવી ફિલ્મો લાંબા સમય સુધી ટકી રહેવા માટે કરી હતી.’