Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > રાજીવ ગાંધીની હત્યા પરથી બની રહ્યો છે વેબ-શો

રાજીવ ગાંધીની હત્યા પરથી બની રહ્યો છે વેબ-શો

Published : 07 September, 2022 03:36 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા ખૂબ જ ચર્ચામાં રહી હતી અને એની પાછળના રહસ્યએ દરેકને ચોંકાવી દીધા હતા

નાઇન્ટી ડેઝ : ધ ટ્રૂ સ્ટોરી ઑફ ધ હન્ટ ફૉર રાજીવ ગાંધીઝ અસૅસિન

નાઇન્ટી ડેઝ : ધ ટ્રૂ સ્ટોરી ઑફ ધ હન્ટ ફૉર રાજીવ ગાંધીઝ અસૅસિન


રાજીવ ગાંધીના હત્યાકાંડ પર આધારિત હવે વેબ-શો બની રહ્યો છે. અનિરુદ્ધ મિશ્રાની બુક ‘નાઇન્ટી ડેઝ : ધ ટ્રૂ સ્ટોરી ઑફ ધ હન્ટ ફૉર રાજીવ ગાંધીઝ અસૅસિન’ પરથી આ શો બનાવવામાં આવી રહ્યો છે. અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા આ શો બનાવવામાં આવી રહ્યો છે જેને ‘ધ ટેલ ઑફ ઍન અસૅસિન’ નામ આપવામાં આવ્યું છે. ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા ખૂબ જ ચર્ચામાં રહી હતી અને એની પાછળના રહસ્યએ દરેકને ચોંકાવી દીધા હતા. આ વિષય પર જૉન એબ્રાહમ અને શૂજિત સરકારની ‘મદ્રાસ કૅફે’ બનાવવામાં આવી હતી. જોકે હવે એ​ વિષય પર ડીટેલમાં શો બનાવવામાં આવી રહ્યો છે. કન્ટેન્ટ સ્ટુડિયો દ્વારા આ બુકના રાઇટ્સ ખરીદવામાં આવ્યા હતા અને હવે તેઓ અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટ સાથે એ શોને બનાવી રહ્યા છે. નાગેશ કુકુનૂર આ શોને ડિરેક્ટ કરી રહ્યો છે. આ વિશે નાગેશ કુકુનૂરે કહ્યું કે ‘હું રાજીવ  ગાંધીના અસૅસિન પરની સ્ટોરી બનાવવા માટે ખૂબ જ ઉત્સુક છું. મારા માટે આ પ્રોડક્શન હાઉસ સાથે કામ કરવાનો પહેલાં પણ ખૂબ જ સારો અનુભવ રહ્યો હતો અને હવે હું ફરી તેમની સાથે કામ કરવા માટે તૈયાર છું.’


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2022 03:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK