રાજવીર સિંહે કહ્યું કે કોરોનાને હસી કાઢવામાં સાર નથી, ગંભીરતાથી બધા નિયમોનું પાલન કરજો
રાજવીર સિંહ
ઝીટીવીના પૉપ્યુલર શો ‘કુરબાન હુઆ’ના લીડ ઍક્ટર નીલ એટલે કે રાજવીર સિંહનો કોવિડ-રિપોર્ટ પૉઝિટિવ આવતાં હવે તે હોમ-ક્વૉરન્ટીન થયો છે. રાજવીરે કહ્યું કે ‘૧૪ દિવસ મારે ઘરમાં જ રહેવાનું છે અને આ ૧૪ દિવસ દરમ્યાન હું સાવ એકલો રહીશ. મારે મારા તમામ ફ્રેન્ડ્સ અને ફૅન્સને કહેવું છે કે અમે અતિશય કાળજી સાથે શૂટિંગ કરીએ છીએ, તમામ ગાઇડલાઇન્સનું પાલન કરીએ છીએ એ પછી પણ કોવિડનું સંક્રમણ મને લાગ્યું છે, તો પ્લીઝ, જે બહાર અવરજવર કરે છે તે પ્લીઝ ધ્યાન રાખે અને પોતાને કોવિડ ન થાય એની કાળજી લે.’
રાજવીર સિંહે કહ્યું કે ‘કોવિડ માટે ગવર્નમેન્ટે જે ગાઇડલાઇન અનાઉન્સ કરી એનું પાલન થાય એ તમારે માટે જ નહીં, તમારી ફૅમિલી માટે પણ બહુ જરૂરી છે. જો તમને એવું લાગતું હોય કે ઘરની બહાર નીકળ્યા વિના ચાલશે તો તમે બહાર નીકળવાનું ટાળો અને ઓછામાં ઓછા લોકોના સંપર્કમાં આવો.’