Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કોવિડ-પૉઝિટિવ થયા પછી ‘કુરબાન હુઆ’ના નીલે ફૅન્સને કઈ ઍડ્વાઇઝ આપી?

કોવિડ-પૉઝિટિવ થયા પછી ‘કુરબાન હુઆ’ના નીલે ફૅન્સને કઈ ઍડ્વાઇઝ આપી?

12 April, 2021 02:42 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજવીર સિંહે કહ્યું કે કોરોનાને હસી કાઢવામાં સાર નથી, ગંભીરતાથી બધા નિયમોનું પાલન કરજો

રાજવીર સિંહ

રાજવીર સિંહ


ઝીટીવીના પૉપ્યુલર શો ‘કુરબાન હુઆ’ના લીડ ઍક્ટર નીલ એટલે કે રાજવીર સિંહનો કોવિડ-રિપોર્ટ પૉઝિટિવ આવતાં હવે તે હોમ-ક્વૉરન્ટીન થયો છે. રાજવીરે કહ્યું કે ‘૧૪ દિવસ મારે ઘરમાં જ રહેવાનું છે અને આ ૧૪ દિવસ દરમ્યાન હું સાવ એકલો રહીશ. મારે મારા તમામ ફ્રેન્ડ્સ અને ફૅન્સને કહેવું છે કે અમે અતિશય કાળજી સાથે શૂટિંગ કરીએ છીએ, તમામ ગાઇડલાઇન્સનું પાલન કરીએ છીએ એ પછી પણ કોવિડનું સંક્રમણ મને લાગ્યું છે, તો પ્લીઝ, જે બહાર અવરજવર કરે છે તે પ્લીઝ ધ્યાન રાખે અને પોતાને કોવિડ ન થાય એની કાળજી લે.’
રાજવીર સિંહે કહ્યું કે ‘કોવિડ માટે ગવર્નમેન્ટે જે ગાઇડલાઇન અનાઉન્સ કરી એનું પાલન થાય એ તમારે માટે જ નહીં, તમારી ફૅમિલી માટે પણ બહુ જરૂરી છે. જો તમને એવું લાગતું હોય કે ઘરની બહાર નીકળ્યા વિના ચાલશે તો તમે બહાર નીકળવાનું ટાળો અને ઓછામાં ઓછા લોકોના સંપર્કમાં આવો.’


Whatsapp-channel Whatsapp-channel

12 April, 2021 02:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK