‘ઝલક દિખલા જા 11’નો વિનર ન બનવા વિશે આવું કહ્યું શોએબ ઇબ્રાહિમે
શોએબ ઇબ્રાહિમ
સોની પર આવતા ડાન્સ રિયલિટી શો ‘ઝલક દિખલા જા 11’ની ટ્રોફી સોશ્યલ મીડિયા પર્સનાલિટી મનીષા રાનીને મળી ગઈ છે. એમાં ફિનાલે સુધી શોએબ ઇબ્રાહિમ પહોંચ્યો હતો અને તેની પત્ની દીપિકા કક્કડે પણ તેની ખૂબ જ તારીફ કરી હતી. તેનું કહેવું છે કે હાર-જીત તો થયા કરે છે. જોકે તે તેની જર્નીથી ખુશ પણ છે. એ વિશે શોએબ ઇબ્રાહિમે કહ્યું કે ‘મનીષા રાની અને તેના ફૅન્સને અભિનંદન. હું એટલું જરૂર કહીશ કે હાર-જીત તો થયા કરે છે. આ કૉમ્પિટિશનમાં હું ખૂબ દૂર સુધી આવ્યો છું અને એ બાબતે હું અલ્લાહનો આભાર માનું છું. મેં અતિશય મહેનત કરી છે. તમે બધાએ પણ મને વોટ આપવામાં મહેનત કરી છે. હું ફિનાલેમાં આવવા માગતો હતો, અલ્લાહે મારી એ ઇચ્છા પૂરી કરી છે. હું ટૉપ ફાઇવમાં પહોંચ્યો. હું ટૉપ થ્રી સુધી પણ પહોંચ્યો હતો.’
થોડા બુરા તો લગતા હી હૈ. ૧૭ અઠવાડિયાંની જર્ની અને શોએબે સખત મહેનત કરી છે. તે આટલી નજીક આવ્યો હતો. તેણે માઇન્ડ-બ્લોઇંગ પર્ફોર્મન્સ આપ્યો હતો. ફારાહ મૅમે પણ કહ્યું હતું કે તેના કારણે આ સીઝન તેમને હંમેશાં યાદ રહેશે.
ADVERTISEMENT
દીપિકા કક્કડ, પતિ ટૉપ થ્રી સુધી પહોંચ્યો એ વિશે.