'બ્રહ્મરાક્ષસ'ની સેકન્ડ સીઝનમાં જોવા મળશે પર્લ પુરી
પર્લ પુરી
‘નાગિન’માં જોવા મળેલો પર્લ પુરી હવે ‘બ્રહ્મરાક્ષસ’ની સેકન્ડ સીઝનમાં જોવા મળશે. બાલાજી ટેલિફિલ્મ્સનો આ શો ઝીટીવી પર શરૂ થવાનો છે. શોમાં સોનગઢની સ્ટોરી દેખાડવામાં આવશે. આ શો વિશે પર્લ પુરીએ કહ્યું હતું કે ‘આ મારો ત્રીજો સુપરનૅચરલ શો છે. હું આ શોમાં અંગદનું પાત્ર ભજવવા માટે ખૂબ ઉત્સાહી છું, કેમ કે એની પોતાની રમૂજ હોય છે. તે લેડીઝમૅન જેવો દેખાય છે. મારા પહેલાંના રોલ્સ કરતાં મારું આ પાત્ર અલગ છે.’
પર્લ સાથે નિક્કી શર્મા પણ કાલિંદીના રોલમાં જોવા મળવાની છે, જેમાં કાલિંદી પર દુષ્ટઆત્માનો પ્રભાવ પડે છે. પોતાના રોલ વિશે નિક્કીએ કહ્યું હતું કે ‘આ શોમાં હું લીડ રોલ ભજવું છું. સાથે જ મારા પહેલા જ થ્રિલર શોમાં કામ કરવાની તક મળી એ વધુ એક્સાઇટિંગ છે. ફૅન્ટસી શો મારો ફેવરિટ છે, કેમ કે એમા કૅરૅક્ટર સાથે ઘણું બધું એક્સ્પરિમેન્ટ કરવા મળે છે. મારું માનવું છે કે એમાં હંમેશાં જ ઍક્ટરનો આત્મા સમાયેલો હોય છે. કાલિંદી સાથે હું ઘણી બાબતોમાં સામ્ય ધરાવું છું. મારું માનવું છે કે આ રોલને એની પોતાની ચૅલેન્જિસ છે. એન માટે વિવિધ ઇમોશન્સનું મિશ્રણ જરૂરી હોય છે. સુપરનૅચરલ ડ્રામાના શૂટિંગના એ બધા ઇન્ટરેસ્ટિંગ અને અદ્ભુત અનુભવો વિશે મેં સાંભળ્યું હતું. હું ખૂબ ઉત્સાહી અને આતુર છું, મારી આ નવી જર્નીની શરૂઆત કરવા માટે.’