રિશી કપૂરને પુણ્યતિથિએ યાદ કરીને નીતુ કપૂરે કહ્યું...
નીતુ કપૂર , ઋષિ કપૂર
રિશી કપૂરની પુણ્યતિથિએ તેમની સાથેનો ફોટો શૅર કરીને નીતુ કપૂરે તેમના દિલની વાત કરી છે. ૨૦૨૦ની ૩૦ એપ્રિલે રિશી કપૂરનું ૬૭ વર્ષની ઉંમરે લ્યુકેમિયાને કારણે મૃત્યુ થયું હતું. બે વર્ષ સુધી તેમણે લ્યુકેમિયા સામે લડત આપી હતી. ન્યુ યૉર્કમાં તેમની ઘણી ટ્રીટમેન્ટ પણ કરવામાં આવી હતી. ફોટો શૅર કરીને નીતુ કપૂરે કૅપ્શન આપી હતી કે ‘ચાર વર્ષ થયાં. અમારા માટે લાઇફ હવે પહેલાં જેવી નથી રહી.’ નીતુ કપૂરની સાથે તેમની દીકરી રિદ્ધિમા અને રાકેશ રોશને પણ રિશી કપૂરને યાદ કર્યા હતા.