‘ધુરંધર: ધ રીવેન્જ’માં રિઝવાનનું પાત્ર ભજવવા માટે, મુસ્તફાએ શારીરિક તાલીમ પણ લીધી હતી. તેણે ખુલાસો કર્યો કે ફિલ્મ માટે તાલીમ શરૂ કરતા પહેલા, તેનું વજન આશરે 80-81 કિલોગ્રામ હતું, જે પછીથી તેણે 85-86 કિલોગ્રામ સુધી વધારી દીધું.
આદિત્ય ધર સાથે મુસ્તફા અહેમદ
અભિનેતા મુસ્તફા અહેમદે ફિલ્મ ‘ધુરંધર: ધ રીવેન્જ’ પર કરવામાં આવી રહેલા ‘Propaganda’ના આરોપોનો જવાબ આપ્યો છે. ફિલ્મમાં રિઝવાનનું પાત્ર ભજવનારા મુસ્તફાએ આ દાવાઓને ફગાવી દીધા, અને કહ્યું કે તેમણે આ પ્રોજેક્ટ સંપૂર્ણ ઇમાનદારી અને સારા ઇરાદા સાથે હાથ ધર્યો છે.
Propaganda’ના આરોપોનો જવાબ આપ્યો
ADVERTISEMENT
તાજેતરના ઇન્ટરવ્યૂમાં વાત કરતાં કરતા, મુસ્તફા અહેમદે કહ્યું, "એક વ્યક્તિનો Propaganda બીજા વ્યક્તિનો અજેન્ડા છે. મારું નામ મુસ્તફા અહેમદ છે. આદિત્ય ધરને ખાસ મારી સાથે કેમ કામ કરવાની જરૂર પડી? જો તે Propaganda’ની વાર્તાને અનુસરી રહ્યો હોત, તો તે સરળતાથી `મુકેશ` અથવા `મહેશ`ને કાસ્ટ કરી શક્યો હોત. કોઈ બીજા માટે આટલી હદ સુધી કેમ જશે? જો કોઈનો કોઈ અજેન્ડા હોય, તો હું તેના અધિકારનો આદર કરું છું." તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ ‘સુરક્ષિત’ નિવેદન આપવાનો પ્રયાસ કરી રહ્યા નથી, પરંતુ પોતાના વ્યક્તિગત અનુભવના આધારે બોલી રહ્યા છે.
તેમના પાત્ર પર સ્પષ્ટ વલણ આપ્યું અભિનેતાએ
#Dhurandhar2 - Mustafa Ahmed, who played a key role in Dhurandhar 2, has finally broken the silence.
— Ravi Chaudhary (@BURN4DESIRE1) March 25, 2026
In his interview, he clearly said that director Aditya Dhar could have cast anyone else if there was any bias but he chose him purely on talent. That itself shuts down the fake… pic.twitter.com/TRoRWGZD5k
મુસ્તફાએ ભારપૂર્વક કહ્યું કે તેણે તેના પાત્ર અંગે કોઈ સમાધાન કર્યું નથી. તેણે કહ્યું, "મેં મારા પાત્ર સાથે કોઈપણ રીતે સમાધાન કર્યું નથી. લોકો કહે છે કે મેં ખ્યાતિ ખાતર `મારો અંતરાત્મા વેચી દીધો`, પરંતુ મેં એવું કંઈ કર્યું નથી. હું ફક્ત મારા માટે જ કહી શકું છું; આ પાત્ર અથવા સેટ પરના મારા સમય વિશે, મને ક્યારેય એવું કંઈ મળ્યું નથી જે ખોટું કે અયોગ્ય લાગ્યું હોય."
ફિલ્મ અને રોલ માટેની તૈયારી
‘ધુરંધર: ધ રીવેન્જ’માં રિઝવાનનું પાત્ર ભજવવા માટે, મુસ્તફાએ શારીરિક તાલીમ પણ લીધી હતી. તેણે ખુલાસો કર્યો કે ફિલ્મ માટે તાલીમ શરૂ કરતા પહેલા, તેનું વજન આશરે 80-81 કિલોગ્રામ હતું, જે પછીથી તેણે 85-86 કિલોગ્રામ સુધી વધારી દીધું. ફિલ્મમાં, મુસ્તફાના પાત્રને એક વિશ્વાસુ સાથી અને પાકિસ્તાનમાં તહેનાત ભારતીય ગુપ્તચર અધિકારી તરીકે દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મને દર્શકો તરફથી ઘણો સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.
સુપરસ્ટાર રજનીકાન્તે હાલમાં ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’નાં વખાણ કર્યાં અને એને મસ્ટ વૉચ ફિલ્મ ગણાવી
ફિલ્મ-ડિરેક્ટર આદિત્ય ધરે પણ રજનીકાન્તની આ લાગણીને પોતાની કારકિર્દીની ખાસ અને ભાવનાત્મક ક્ષણ ગણાવી. સોશ્યલ મીડિયા પર રજનીકાન્તે ‘ધુરંધર : ધ રિવેન્જ’નાં વખાણ કરતાં લખ્યું હતું, ‘વૉટ અ ફિલ્મ... ધુરંધર 2! આદિત્ય ધર... બૉક્સ-ઑફિસ કા બાપ! રણવીર અને સમગ્ર કાસ્ટ તેમ જ ક્રૂને ખૂબ-ખૂબ અભિનંદન. દરેક ભારતીય માટે આ ફિલ્મ જોવી જરૂરી છે. જય હિન્દ.’ રજનીકાન્તનાં વખાણ પર પ્રતિક્રિયા આપતાં આદિત્ય ધરે લખ્યું હતું, ‘સર, અમે બધા મનોરંજનને ફક્ત તમારા એક જ બેન્ચમાર્કથી માપીને મોટા થયા છીએ. દાયકાઓથી અમને સીટી વગાડવા, હસાવવા, રડાવવા અને પછી એ જ સ્વૅગ અને ગ્રેસ સાથે આ બધું કરવું એ જાદુ છે. તમારું ‘ધુરંધર : ધ રિવેન્જ’ને મસ્ટ વૉચ કહેવું એ મારી જિંદગીની સૌથી મોટી સુપરસ્ટાર ક્ષણ જેવું લાગે છે. આ એ જ વ્યક્તિના આશીર્વાદ લાગે છે જેમણે આપણને સૌને મોટાં સપનાં જોતાં શીખવ્યું છે. શબ્દોથી પર આભારી છું, સર... આ સીધું દિલને સ્પર્શી ગયું. જય હિન્દ.’
