ઇન્શાલ્લાહ છોડ્યા બાદ સલમાન ખાને કહ્યું કે...
સલમાન ખાન
સલમાન ખાને ‘ઇન્શાલ્લાહ’ને અલવિદા કહી દીધા બાદ જણાવ્યું હતું કે સંજય લીલા ભણસાલી આ ફિલ્મ સાથે ગદ્દારી ન કરી શકે. સલમાન ખાન અને સંજય લીલા ભણસાલી ઘણાં વર્ષોથી સારા ફ્રેન્ડ્સ છે. બન્ને એકબીજાને ‘ખામોશી’ પહેલાંથી જ ઓળખે છે. સંજય લીલા ભણસાલી સાથેના સંબંધો વિશે સલમાને કહ્યું હતું કે ‘સંજય મારો ત્યારથી ફ્રેન્ડ છે જ્યારે અમે ‘ખામોશી’ પણ નહોતી બનાવી. તે મનીષા કોઇરાલાના માધ્યમથી મને મળ્યો હતો. ત્યાર બાદ અમે ‘હમ દિલ દે ચુકે સનમ’માં સાથે કામ કર્યું હતું. તે જ્યારે મારી પાસે આ ફિલ્મ લઈને આવ્યો ત્યારે મને એ ગમી ગઈ અને અમે ફરીથી સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું. એક વસ્તુ હું કહેવા માગું છું કે સંજય ‘ઇન્શાલ્લાહ’ સાથે ગદ્દારી ન કરી શકે.
આ પણ વાંચો : ઇન્શાલ્લાહ પર થોડા સમય માટે લાગી બ્રેક
ADVERTISEMENT
હું ચાહું છું કે તે એવી જ ફિલ્મ બનાવે જેવી તે બનાવવા માગે છે. એક ફ્રેન્ડ તરીકે અમારી વચ્ચે કંઈ પણ બદલાયું નથી અને સંજયના દિલમાં પણ કંઈ બદલાયું નથી. હું તેમની મમ્મી લીલા અને બહેન બેલાની ખૂબ નિકટ છું. હું તેમને શુભેચ્છા આપું છું. અમે બન્ને ભવિષ્યમાં ચોક્કસ સાથે કામ કરીશું. ઇન્શાલ્લાહ.’