Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇન્શાલ્લાહ પર થોડા સમય માટે લાગી બ્રેક

ઇન્શાલ્લાહ પર થોડા સમય માટે લાગી બ્રેક

28 August, 2019 11:55 AM IST | મુંબઈ
મોહર બાસુ

ઇન્શાલ્લાહ પર થોડા સમય માટે લાગી બ્રેક

સંજય લીલા ભણસાલી

સંજય લીલા ભણસાલી


સંજય લીલા ભણસાલી પ્રોડક્શન હાઉસે જાહેરાત કરી છે કે આ ફિલ્મ પર થોડા સમય માટે કામ બંધ કરવામાં આવ્યું છે. એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સલમાન અને સંજય લીલા ભણસાલી વચ્ચે ક્રીએટિવ મતભેદ ઊભા થયા છે અને આ જ કારણ છે કે સલમાન ફિલ્મથી નાખુશ છે. સલમાનને સ્ક્રિપ્ટનો શરૂઆતનો ભાગ પસંદ હતો અને તેણે સ્ક્રિપ્ટમાં થોડો ફેરફાર કરવાનું સૂચવ્યું હતું. ખાસ કરીને ક્લાઇમૅક્સ. પહેલા દિવસનું શૂટિંગ પણ ગોઠવવામાં આવ્યું હતું, પરંતુ બન્ને વચ્ચે ક્રીએટિવ મતભેદ ઊભા થયા હતા. સંજય લીલા ભણસાલી આમ તો કલાકારોને રિસ્પેક્ટ આપે છે. તેમની સલાહને પણ કાને ધરે છે. એથી જ આ ફિલ્મ પર થોડા સમય માટે બ્રેક લગાવવામાં આવી છે. એવામાં એવી પણ ચર્ચા છે કે આ ફિલ્મને હાલ થોડા સમય માટે બંધ કરીને અન્ય ફિલ્મ ‘ઇઝહાર’ પર ભણસાલી ધ્યાન આપશે. આ ફિલ્મ માટે તેમણે શાહરુખ ખાન સાથે પણ ચર્ચા કરી છે. ટૂંક સમયમાં જ ફિલ્મ પર કામ શરૂ થાય એવી શક્યતા પણ છે.

આ પણ વાંચો : સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણાં રિજેક્શન સહન કર્યાં છે : વિદ્યા બાલન



સંજય લીલા ભણસાલી અને સલમાન ખાન લગભગ બે દાયકા બાદ ‘ઇન્શાલ્લાહ’માં કામ કરવાના હતા. જોકે મતભેદ સર્જાતાં આ ફિલ્મને અભરાઈએ ચડાવી દેવામાં આવી છે. વિવાદ જે પણ હોય પરંતુ લોકો આ બન્નેની ફિલ્મને જોવા માટે ખાસ્સા આતુર હતા એટલું જ નહીં, આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને સલમાનની પણ જોડી પહેલી વાર જામવાની હતી.


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2019 11:55 AM IST | મુંબઈ | મોહર બાસુ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK