Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગીતકાર માયા ગોવિંદનું લાંબી માંદગી બાદ મૃત્યુ

ગીતકાર માયા ગોવિંદનું લાંબી માંદગી બાદ મૃત્યુ

Published : 08 April, 2022 02:38 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શાહરુખ-અક્ષય જેવા ઍક્ટર્સની ફિલ્મો માટે તેમણે ગીત લખ્યાં હતાં

ગીતકાર માયા ગોવિંદ

ગીતકાર માયા ગોવિંદ


૭૦ના દાયકાથી માંડીને ૯૦ના દાયકા સુધી ફિલ્મોમાં ગીત લખનારાં માયા ગોવિંદનું ગઈ કાલે અવસાન થયું છે. ૮૨ વર્ષનાં માયા ઘણા સમયથી બીમાર હતાં. જુહુસ્થિત તેમના ઘરે તેમને હાર્ટ-અટૅક આવતાં સવારે સાડાનવ વાગ્યે તેમનું નિધન થયું હતું. તેમના દિમાગમાં લોહીની ગાંઠ બની હતી. સાથે જ સ્વાસ્થ્યને સંબંધિત પણ અનેક બીમારીઓ તેમને ઘેરી વળી હતી. તેમણે અમિતાભ બચ્ચનની ‘ઐતબાર’, વિનોદ ખન્નાની ‘આરોપ’, હેમા માલિનીની ‘રઝિયા સુલતાન’, શાહરુખ ખાનની ‘ચાહત’, અક્ષયકુમારની ‘મૈં ખિલાડી તૂ અનાડી’, ગોવિંદાની ‘બેટી નંબર 1’, રવિના ટંડનની ‘દમન’ અને સલમાન ખાન, માધુરી દીક્ષિત નેનેની ‘હમ તુમ્હારે હૈ સનમ’નાં ગીતો લખ્યાં હતાં. છેલ્લા પાંચ મહિનામાં તેમને બે વખત હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમના અંતિમ સંસ્કાર સાંતાક્રુઝમાં આવેલા પવનહંસમાં કરવામાં આવ્યા હતા. તેમના વિશે તેમના દીકરા અજયે કહ્યું કે ‘તેમની તબિયત ઠીક ન હોવાથી તેમને બે વખત હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ડિસેમ્બરમાં ચાર દિવસ માટે અને બાદમાં જાન્યુઆરીમાં ઍડ્મિટ કરવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ તેમને ઘરે જ સારવાર આપવામાં આવતી હતી. તેમના દિમાગમાં લોહીની ગાંઠ હોવાથી તેમને હેલ્થને લઈને અનેક સમસ્યા થઈ હતી. એથી ઘણા સમયથી તેઓ સ્વસ્થ નહોતાં. તેમનું અવસાન સવારે સાડાનવ વાગ્યે થયું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2022 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK