Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તાજની મુલાકાતે ‘શહઝાદા’

તાજની મુલાકાતે ‘શહઝાદા’

Published : 06 February, 2023 04:15 PM | IST | Agra
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બન્નેની ‘શહઝાદા’ ૧૭ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.

કાર્તિક આર્યન અને ક્રિતી સૅનને આગરામાં જઈને તાજ મહલની મુલાકાત લીધી હતી

કાર્તિક આર્યન અને ક્રિતી સૅનને આગરામાં જઈને તાજ મહલની મુલાકાત લીધી હતી


કાર્તિક આર્યન અને ક્રિતી સૅનને આગરામાં જઈને તાજ મહલની મુલાકાત લીધી હતી. આ બન્નેની ‘શહઝાદા’ ૧૭ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મનું પ્રમોશન કરવા માટે તેઓ આગરા પહોંચ્યાં હતાં. જ્યાં તેમને જોવા લોકોની ભીડ ઊમટી પડી હતી. તાજ મહલની સામે ઊભાં રહીને કાર્તિક અને ક્રિતીએ ફોટો ક્લિક કર્યો હતો. બન્નેના ચહેરા પર સ્માઇલ અને ખુશી છલકાઈ રહી છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી, ‘શહઝાદા’, તાજ ઔર મુમતાઝ.

કાર્તિકની કઈ વાત પર તેની મમ્મી ભડકી જાય છે




કાર્તિક આર્યને જણાવ્યું છે કે એક વાત એવી છે જેથી તેની મમ્મી તેના પર ભડકી જાય છે. કાર્તિક હાલમાં આગરામાં તેની ફિલ્મ ‘શહઝાદા’ના પ્રમોશન માટે પહોંચ્યો છે. ત્યાંનું ફૂડ તો ફેમસ છે જ પરંતુ ત્યાંનાં પેઠાં પણ એટલાં જ લોકપ્રિય છે. કાર્તિકની મમ્મીને પેઠાં ખૂબ પસંદ છે. એથી કાર્તિકે પેઠાં ખરીદ્યાં છે. એનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિક આર્યને કૅપ્શન આપી હતી, ‘આગરા જઈને પેઠાં ન ખરીદ્યાં તો મમ્મી પાસેથી ઘણુંબધું સાંભળવા મળશે.’


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2023 04:15 PM IST | Agra | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK