Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નિતેશ તિવારીની ‘રામાયણ’માં નહીં દેખાય હૃતિક રોશન?

નિતેશ તિવારીની ‘રામાયણ’માં નહીં દેખાય હૃતિક રોશન?

30 January, 2023 03:39 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેને નેગેટિવ રોલ નહીં, હીરોના રોલ વધુ કરવા છે

નિતેશ તિવારી

નિતેશ તિવારી


નિતેશ તિવારીની ‘રામાયણ’માં હવે હૃતિક રોશન નહીં દેખાય એ‍વી ચર્ચા છે. આ ફિલ્મમાં તે નેગેટિવ રોલમાં દેખાવાનો હતો. જોકે હવે તેની ઇચ્છા નેગેટિવ રોલ કરવાની જરા પણ નથી અને આ જ કારણ છે કે તેણે આ ફિલ્મમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે. હૃતિકનું માનવું છે કે તેના ફૅન્સ તેને નેગેટિવ રોલમાં નહીં પરંતુ હીરોના રોલમાં જોવાનું પસંદ કરે છે. તેને પણ ‘રામાયણ’ની સ્ક્રિપ્ટ પસંદ પડી હતી. નિતેશ તિવારી અને પ્રોડ્યુસર મધુ મન્ટેના સાથે ચર્ચા કર્યા બાદ હૃતિકે આ ફિલ્મની ના પાડી દીધી છે. એથી હવે ‘રામાયણ’ના મેકર્સે આ રોલ માટે સાઉથના યશ તરફ નજર ફેરવી છે. યશ તેની ‘KGF : ચૅપ્ટર 2’ને લઈને ટૉક-ઑફ-ધ-ટાઉન બન્યો છે. મેકર્સને લાગે છે કે ‘રામાયણ’માં રાવણના રોલ માટે યશ ફિટ બેસે છે. એથી તેની સાથે ચર્ચા શરૂ કરી છે. એવું જાણવા મળ્યું છે કે યશને ફિલ્મની સ્ક્રિપ્ટ ગમી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર પણ જોવા મળવાનો છે. મેકર્સ દ્વારા હવે સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે.


Whatsapp-channel Whatsapp-channel

30 January, 2023 03:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK