તાન્હાજી : ધ અનસંગ વૉરિયરનો કાયલ બન્યો હૃતિક
હૃતિક રોશનને ‘તાન્હાજી: ધ અનસંગ વૉરિયર’ ખૂબ પસંદ પડી છે. ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મમાં અજય દેવગન, કાજોલ અને સૈફ અલી ખાન લીડ રોલમાં છે. આ ઐતિહાસિક ફિલ્મમાં તાનાજી માલુસરેના પાત્રમાં અજય દેવગન, તેમની પત્ની સાવિત્રીબાઈ માલુસરેના પાત્રમાં કાજોલ અને ઉદયભાણ રાઠોડના પાત્રમાં સૈફે કામ કર્યું છે. આ ફિલ્મ જોયા બાદ ટ્વિટર પર હૃતિકે ટ્વીટ કર્યું હતું કે ‘મેં હાલમાં જ ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’ જોઈ. ખરેખર અદ્ભુત ફિલ્મ છે. શાનદાર ઍક્શન છે. અજય દેવગન અને કાજોલ દમદાર છે. સૈફ બ્રિલિયન્ટ છે. ફિલ્મ માટે કરેલા અથાક પ્રયાસ માટે ફિલ્મની પૂરી કાસ્ટ અને ક્રૂ માનને હકદાર છે. તમે લોકો સુપર્બ છો. શું ફિલ્મ બનાવી છે!’