Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મ `ધુરંધર`ના સિંગર શાહઝાદ અલીનું ગીત ‘ગણરાજ હૈ પધારે’ થશે લૉન્ચ

ફિલ્મ `ધુરંધર`ના સિંગર શાહઝાદ અલીનું ગીત ‘ગણરાજ હૈ પધારે’ થશે લૉન્ચ

Published : 11 September, 2026 06:07 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તેનો ઉદ્દેશ્ય વિવિધ મીડિયા પ્લેટફોર્મ્સ પર નવીન પ્રોજેક્ટ્સનું સર્જન કરવાનો છે. ઍક્સલન્સી સ્ટુડિયોઝના વિઝનનો એક મુખ્ય ભાગ ફિલ્મ નિર્માતાઓ, લેખકો, સંગીતકારો, કલાકારો, ડિઝાઇનરો અને અન્ય સર્જકો માટે સહયોગી પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.

રણવીર સિંહ અને શાહઝાદ અલી

રણવીર સિંહ અને શાહઝાદ અલી


ગણેશોત્સવની ઉજવણીના અવસરને ધ્યાનમાં રાખીને `ઍક્સલન્સી સ્ટુડિયોઝ` (Excellency Studios) દ્વારા ‘ગણરાજ હૈ પધારે’ (Ganraj Hai Padhare) નામનું નવું મ્યુઝિક ટ્રેક રિલીઝ કરવામાં આવ્યું છે. રવિન્દ્ર કુમાર અને રિતેશ ફતવાની દ્વારા પ્રસ્તુત આ ગીતમાં શાહઝાદ અલી, હરમાન નાઝિમ અને દીપક મલ્હોત્રાએ પોતાનો અવાજ આપ્યો છે. શાહઝાદ અલી `ધુરંધર` (Dhurandhar) પ્રોજેક્ટ પરના તેના કામ માટે પણ જાણીતો છે. આ ગીત ગણપતિ બાપ્પાના આગમનનો ભાવ, ભક્તિની ભાવના અને તહેવારના ઉત્સવપૂર્ણ વાતાવરણને રજૂ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. રિતિક ચૌહાણે આ ગીતના બોલ લખ્યા છે અને તેનું સંગીત પણ તૈયાર કર્યું છે. ગીત ખાસ કરીને ગણેશોત્સવની મોસમ માટે રચાયેલી એક આધુનિક ભક્તિમય રચના બનશે એવી મેકર્સને આશા છે.

ત્રણ ગાયકોને આવરી લેતું નવું ભક્તિ ગીત



‘ગણરાજ હૈ પધારે’ શાહઝાદ અલી, હરમાન નાઝિમ અને દીપક મલ્હોત્રાના અવાજોને એકસાથે લાવ્યા છે અને તેમની વિશિષ્ટ ગાયકી સ્ટાઈલને એક જ ટ્રેકમાં વણી લીધી છે. `ધુરંધર`માં કામ બાદ, શાહઝાદ અલી હવે ભક્તિ સંગીત દ્વારા તેની ગાયકી પ્રતિભાનું એક અલગ પાસું રજૂ કરી રહ્યો છે. આ ગીત ગણપતિ બાપ્પાના સ્વાગતની ભાવના અને ઉત્સવના આનંદ પર કેન્દ્રિત છે.


ઍક્સલન્સી સ્ટુડિયોઝનો દ્રષ્ટિકોણ

રવિન્દ્ર કુમાર અને રિતેશ ફતવાનીના નેતૃત્વ હેઠળ, ઍક્સલન્સી સ્ટુડિયોઝ જાહેરાત અને મનોરંજન ક્ષેત્રે કાર્યરત છે. કંપનીની ટીમ પાસે નેતૃત્વનો 18 વર્ષથી વધુનો સંયુક્ત અનુભવ છે. આ સ્ટુડિયો જાહેરાતની ફિલ્મો, ફીચર ફિલ્મો, મ્યુઝિક વીડિયો, ફોટોગ્રાફી, ડિજિટલ કન્ટેન્ટ અને ઓરિજિનલ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝ સહિતના વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. તેનો ઉદ્દેશ્ય વિવિધ મીડિયા પ્લેટફોર્મ્સ પર નવીન પ્રોજેક્ટ્સનું સર્જન કરવાનો છે. ઍક્સલન્સી સ્ટુડિયોઝના વિઝનનો એક મુખ્ય ભાગ ફિલ્મ નિર્માતાઓ, લેખકો, સંગીતકારો, કલાકારો, ડિઝાઇનરો અને અન્ય સર્જકો માટે સહયોગી પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.


ગણેશોત્સવ માટે તૈયાર કરાયેલું ગીત

‘ગણરાજ હૈ પધારે’માં ભક્તિ સંગીત અને આધુનિક મનોરંજન વચ્ચેના અંતરને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. ગણેશ ઉત્સવ સાથે જોડાયેલી ભક્તિ અને ઉત્સવની ભાવનાને આધુનિક સંગીતની દ્રષ્ટિએ રજૂ કર્યું છે. ગણેશોત્સવ દરમિયાન ઘરો, સમુદાયો અને પંડાલોમાં થતી ઉજવણીઓ વચ્ચે, આ ગીત ગણપતિ બાપ્પાના સ્વાગત પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ગીતનું શીર્ષક ‘ગણરાજ હૈ પધારે’ છે. તેને શાહઝાદ અલી, હરમાન નાઝિમ અને દીપક મલ્હોત્રાએ ગાયું છે. સંગીત અને ગીતના શબ્દો રિતિક ચૌહાણના છે. તેને ઍક્સલન્સી સ્ટુડિયો દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, જેના પ્રસ્તુતકર્તા રવિન્દ્ર કુમાર અને રિતેશ ફતના છે. ગણેશોત્સવ દરમ્યાન કોઈ પણ પ્રકારની અપ્રિય કે અનિચ્છનીય ઘટના ન બને તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે મુંબઈ પોલીસ દ્વારા સાઉથ મુંબઈના સંવેદનશીલ વિસ્તાર ગણાતા બે ટાંકીથી ગિરગામ ચોપાટી સુધી ગઈ કાલે ફ્લૅગમાર્ચ કાઢવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ રૂટ દરમ્યાન જ વિસર્જન માટે મોટા-મોટા ગણપતિની શોભાયાત્રા કાઢવામાં આવે છે અને એમાં મોટી સંખ્યામાં ગણેશભક્તો ભાગ લે છે. એ ક્ષણનો લાભ લેવા હજારો મુંબઈગરાઓ પણ ઊમટે છે. અસામાજિક તત્ત્વો પોતાનું માથું ન ઊંચકે અને કોઈ વિષમ પરિસ્થિતિ ઊભી ન કરે એ માટે અહીં પૂરતો પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

11 September, 2026 06:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK