Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મી કરીઅરને આગળ ‍વધારવા માટે પૉલિટિક્સમાં ન જવું જોઈએ

ફિલ્મી કરીઅરને આગળ ‍વધારવા માટે પૉલિટિક્સમાં ન જવું જોઈએ

07 April, 2024 09:11 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાજેતરમાં કંગના રનૌત અને અરુણ ગોવિલે રાજકારણમાં પ્રવેશ કર્યો છે

ઇમરાન હાશ્મી

ઇમરાન હાશ્મી


ઇમરાન હાશ્મીએ જણાવ્યું કે કલાકારોએ પૉલિટિક્સમાં અંગત સ્વાર્થ માટે ન જવું જોઈએ. અનેક સેલિબ્રિટીઝ રાજકારણમાં આવી છે. તાજેતરમાં કંગના રનૌત અને અરુણ ગોવિલે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. કંગના હિમાચલ પ્રદેશમાં ઇલેક્શન લડવાની છે. રાજકારણમાં આવવાના સવાલ વિશે ઇમરાન હાશ્મી કહે છે, ‘આ એક ઇન્ટરેસ્ટની બાબત છે. તમને કેટલીક વસ્તુઓ ગમતી હોય છે તો કેટલીક નથી ગમતી. મેં ક્યારેય રાજકારણમાં આવવા વિશે વિચાર્યું નથી, પરંતુ ક્યારેય કોઈની વાતને ના ન પાડવી જોઈએ. જો ભવિષ્યમાં રાજકારણ પ્રત્યે રસ જાગ્યો તો મારા દર્શકો માટે કાંઈક કરવા માગીશ, જેમણે મને આટલો પ્રેમ આપ્યો છે. કલાકારો જ્યારે પૉલિટિક્સમાં જાય છે ત્યારે તેમના પર જનતાની જવાબદારી હોય છે. તેમને કારણે તો તેઓ કલાકાર બન્યાં છે. એનાથી ફિલ્મી કરીઅરને મદદ મળશે એવી આશા સાથે રાજકારણમાં ન જવું જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

07 April, 2024 09:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK