તેના ગીતને લઈને વિરોધ થયો હોવાથી ફૅમિલીની સેફ્ટી માટે તેમને શો બિઝનેસથી દૂર રાખે છે
દિલજીત દોસંજ
દિલજિત દોસંજના ઘરની બહાર પ્રોટેસ્ટ થયો હોવાથી તે તેની પર્સનલ લાઇફને પ્રાઇવેટ રાખે છે એવી ચર્ચા છે. દિલજિતે લગ્ન કરી લીધાં છે અને તેને એક બાળક પણ હોવાની ચર્ચા છે. દિલજિતે આ વિશે કોઈ જાહેરાત નથી કરી અને તેણે કોઈ ચોખવટ પણ નથી આપી. દિલજિતની ‘અમર સિંહ ચમકિલા’માં તેના કો-સ્ટાર અંજુમ બત્રાએ કેસર સિંહ ટિક્કીનું પાત્ર ભજવ્યું હતું. દિલજિતનાં લગ્ન વિશે પૂછતાં અંજુમ કહે છે, ‘હું એ વિશે તો કમેન્ટ નહીં કરી શકું, કારણ કે મને એ વિશે કોઈ માહિતી નથી. જોકે તેણે એ જરૂર કહ્યું હતું કે વર્ષો પહેલાં તેના ઘરની બહાર ખૂબ જ પ્રોટેસ્ટ થયો હતો. આ પ્રોટેસ્ટ તેના કોઈ ગીતને કારણે કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈને તે તેની ફૅમિલીની સેફ્ટીને લઈને ખૂબ જ પ્રોટેક્ટિવ થઈ ગયો હતો અને એથી જ તે તેની પર્સનલ લાઇફ વિશે કોઈ જાહેરાત નથી કરતો. તે ઇચ્છે છે કે તેની ફૅમિલી શો બિઝનેસથી દૂર રહે.’