Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ક્રેડિટ્સ પૂરી ન થાય ત્યાં સુધી બેઠક ન છોડતા અને પ્લીઝ સ્પૉઇલર્સ સોશ્યલ મીડિયામાં લીક ન કરતા

ક્રેડિટ્સ પૂરી ન થાય ત્યાં સુધી બેઠક ન છોડતા અને પ્લીઝ સ્પૉઇલર્સ સોશ્યલ મીડિયામાં લીક ન કરતા

Published : 19 March, 2026 10:28 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડિરેક્ટર આદિત્ય ધરે ધુરંધર : ધ રિવેન્જની રિલીઝ વખતે ફૅન્સના નામે પત્ર લખીને આ વિનંતી કરી

ડિરેક્ટર આદિત્ય ધર

ડિરેક્ટર આદિત્ય ધર


‘ધુરંધર : ધ રિવેન્જ’ની રિલીઝ પહેલાં ફિલ્મના ડિરેક્ટર આદિત્ય ધરે પોતાની સોશ્યલ મીડિયા પોસ્ટમાં દર્શકોને ખાસ અપીલ કરી હતી કે ફિલ્મની એન્ડ ક્રેડિટ્સ પૂરી ન થાય ત્યાં સુધી થિયેટરમાંથી બહાર ન નીકળે.

આ સિવાય આદિત્ય ધરે ‘ધુરંધર ફૅમિલી’ માટે એક ભાવુક પત્ર પણ શૅર કર્યો છે. તેણે લખ્યું કે ‘દર્શકોએ ફક્ત ફિલ્મ જોઈ જ નથી, એને પ્રેમ આપ્યો છે, એની દરેક પળને સમજવાનો પ્રયાસ કર્યો છે અને ચર્ચા કરી છે. આ ફિલ્મ હવે ફક્ત મારી નથી રહી, એ દર્શકોની બની ગઈ છે. દર્શકોને મારી વિનંતી છે કે ફિલ્મના કોઈ પણ સ્પૉઇલર્સ સોશ્યલ મીડિયા પર શૅર ન કરે જેથી દરેક વ્યક્તિ કોઈ પણ પૂર્વમાહિતી વગર ફિલ્મ જોઈ શકે અને સંપૂર્ણ અનુભવ માણી શકે.’



મધરાતે, વહેલી સવારે, મોડી રાતે... મુંબઈમાં ઍની ટાઇમ, જોવા મળશે `ધુરંધર : ધ રિવેન્જ`


થાણેના વન્ડર મૉલમાં આવેલા મૂવીમૅક્સનું ૧૯ તારીખનું શેડ્યુલ


બુધવારના પેઇડ પ્રિવ્યુ પછી ‘ધુરંધર : ધ રિવેન્જ’ આજે રિલીઝ થઈ ગઈ છે અને એના શો ચોવીસે કલાક રાખવામાં આવ્યા છે. મુંબઈનાં કમસે કમ ૧૨ મલ્ટિપ્લેક્સ એવાં છે જ્યાં મધરાતે પોણાબે-સવાબે વાગ્યાથી શરૂ કરીને મોડી રાતે પોણાબાર-બાર વાગ્યા સુધીના શો રાખવામાં આવ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

19 March, 2026 10:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK