ધર્મેન્દ્રનો ખુલાસો, 'આનંદ' ફિલ્મ ન મળતાં ડિરેક્ટરને આ રીતે કર્યા હેરાન
ધર્મેન્દ્રનો મોટો ખુલાસો
સની દેઓલનો દીકરો કરણ દેઓલ ટૂંક સમયમાં જ ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ'થી પોતાનો બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મને પ્રમોટ કરવા માટે ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે ડાયરેક્ટર સની દેઓલ અને પ્રૉડ્યૂસર ધર્મેન્દ્ર પણ ધ કપિલ શર્મા શો પર પહોંચ્યા હતા. આ મંચ પર કપિલ સાથે વાત કરતાં ધર્મેન્દ્રએ એક મોટો ખુલાસો કરતાં જણાવ્યું કે ફિલ્મ 'આનંદ'માં કામ ન મળવાને કારણે તેમણે ફિલ્મ ડાયરેક્ટરને નશાની હાલતમાં આખી રાત હેરાન કર્યું.
શૉમાં વાતચીત દરમિયાન કપિલ શર્માએ ધર્મેન્દ્રને તેની ફિલ્મો વિશે પ્રશ્નો કરતાં પૂછ્યું કે શું આ હકીકત છે કે, "જ્યારે ફિલ્મ 'ચુપકે ચુપકે'માં તમે ડ્રાઇવરનું પાત્ર ભજવ્યું, ત્યારે એ હકીકત છે કે તમને સ્ટોરી ખબર ન હતી, તમે ફક્ત ડાયરેક્ટરના કહેવા પર ચાલ્યા ગયા હતા." આ પ્રશ્ન પર ધર્મેન્દ્રએ જણાવ્યું કે "ઋષિ દા અમને આઉટલાઇન સંભળાની દેતા, ખબર પડી જતી હતી કે શું થશે આગળ"
ADVERTISEMENT
આગળ ધર્મેન્દ્રએ જણાવ્યું કે "એક સ્ટોરી તેમણે (ઋષિકેશ મુખર્જી) સંભળાવી હતી, ફ્લાઇટમાં આવતી વખતે, બંગલે જતી વખતે, આ કરે છે ધર્મ, આ કરશે તે કરશે, પણ પછી ખબર પડી કે પિલ્મ શરૂ થઈ ગઈ રાજેશ સાથે, હું થોડું પીઉં છુંને, આખી રાત મેં ઋષિ દાને સૂવા ન દીધો."
ધર્મેન્દ્ર ખૂબ જ સારી એક્ટિંગ કરતા પંજાબી ભાષામાં જણાવે છે કે, "તેમણે ઋષિ દાને કૉલ કર્યો અને કહ્યું, મને રોલ ન આપ્યો તમે, આ સ્ટોરી મને સંભળાવી હતી, આ ક્યાં ચાલ્યા ગયા." ડાયરેક્ટર તેમને સતત વિનંતી કરતાં રહ્યા કે સૂઈ જા ધર્મ, પણ ધર્મેન્દ્ર સતત તેને કૉલ કરીને પૂછતાં રહ્યા કે મારો રોલ તેને કેમ આપ્યો?
આ પણ વાંચો : Vogue માટે પ્રિયંકા ચોપરાએ કરાવ્યું ફોટોશૂટ, તસવીરોમાં દેખાયો ગ્લેમરસ અંદાજ
જણાવીએ કે ફિલ્મ 'આનંદ' 1971માં આવી હતી, આ ફિલ્મમાં રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચને મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ તે જમાનાની એક મોટી હીટ ફિલ્મ સાબિત થઈ હતી.