Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અયોધ્યાના મહંતે શાહરુખને જીવતો સળગાવવાની આપી ધમકી

અયોધ્યાના મહંતે શાહરુખને જીવતો સળગાવવાની આપી ધમકી

22 December, 2022 04:07 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ગીતમાં દીપિકા પાદુકોણે પહેરેલી કેસરી બિકિની વિવાદનું કારણ બની છે

શાહરુખ ખાન

શાહરુખ ખાન


‘પઠાન’ને લઈને હવે અયોધ્યાના મહંત પરમહંસ આચાર્યએ પણ ઝુકાવ્યું છે. તેમણે શાહરુખ ખાનને જીવતો સળગાવવાની ધમકી આપી છે. સાથે જ જે થિયેટરમાં ફિલ્મ રિલીઝ થશે એને પણ આગ લગાવવામાં આવશે. આ ફિલ્મના ‘બેશરમ રંગ’ ગીતને લઈને દેશમાં ખૂબ વિરોધ ચાલી રહ્યો છે. આ ગીતમાં દીપિકા પાદુકોણે પહેરેલી કેસરી બિકિની વિવાદનું કારણ બની છે. હિન્દુ સંગઠનોનું માનવું છે કે તેમની ધાર્મિક લાગણીને ઠેસ લાગી છે. એને કારણે અનેક લોકોએ ગીતને હટાવવાની માગણી પણ કરી છે. હવે તપસ્વી છાવણીના મહંત પરમહંસ આચાર્યએ કહ્યું કે ‘આ ​ફિલ્મને લઈને સનાતન ધર્મના લોકોએ વિરોધ નોંધાવ્યો છે. અમે શાહરુખ ખાનના પોસ્ટરને સળગાવ્યું છે. જો મને જેહાદી શાહરુખ ખાન મળી જાય તો હું તેને જીવતો સળગાવી નાખીશ.’


Whatsapp-channel Whatsapp-channel

22 December, 2022 04:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK