ફિલ્મમેકર આશુતોષ ગોવારીકર હવે ‘ટેમ્પલ રેઇડર્સ’ નામની એક નવી ડૉક્યુ-ડ્રામા સિરીઝ લઈને આવી રહ્યો છે. આ સિરીઝ ભારતનાં મંદિરોમાંથી મૂર્તિઓની ચોરી અને એની ગેરકાયદેસર આંતરરાષ્ટ્રીય તસ્કરી કરનારી ગૅન્ગ પર આધારિત હશે.
આશુતોષ ગોવારીકર લઈને આવી રહ્યો છે ટેમ્પલ રેઇડર્સ
ફિલ્મમેકર આશુતોષ ગોવારીકર હવે ‘ટેમ્પલ રેઇડર્સ’ નામની એક નવી ડૉક્યુ-ડ્રામા સિરીઝ લઈને આવી રહ્યો છે. આ સિરીઝ ભારતનાં મંદિરોમાંથી મૂર્તિઓની ચોરી અને એની ગેરકાયદેસર આંતરરાષ્ટ્રીય તસ્કરી કરનારી ગૅન્ગ પર આધારિત હશે.
‘ટેમ્પલ રેઇડર્સ’ એક ડૉક્યુમેન્ટરી-ડ્રામા સિરીઝ છે, જેમાં વાસ્તવિક ઘટનાઓને રસપ્રદ અને સિનેમૅટિક અંદાજમાં રજૂ કરવામાં આવશે. આ સિરીઝનો મુખ્ય ઉદ્દેશ ભારતની સાંસ્કૃતિક ધરોહરને બચાવવાનો અને મંદિરોમાંથી થતી મૂર્તિચોરીની સમસ્યાને લોકો સમક્ષ લાવવાનો છે.
